Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 364
________________ નાના ભાર છે શેઠ કેશવજી નાયક કેશવજી શેઠ નીકલ કંપનીના ભાગીદાર હતા તે વખતે કલેર, કર્નાક, મછિદ, એલફિન્સ્ટન વગેરે બંદરે તથા વિશાળ જાગીરો એમના હસ્તક હતાં. સરકારે ખાનગી બંદરોને વહીવટ પોતાના હસ્તક લઈ લેવાને ઠરાવ કરતાં મુંબઈના ગવર્નર સર સાઈમુર ફિટ્ઝજીરાડે એ સંબંધમાં પત્ર લખીને કેશવજી શેઠની મુલાકાત માગેલી. શેઠે દાણા બંદરમાં કલાઈવ રોડ પર આવેલા પિતાના બંગલાથી ઠેઠ મસ્જિદ બંદરના પૂલ સુધી વિશાળ મંડપ બંધાવીને ગવર્નરનું શાનદાર સ્વગત કરેલું. ગવર્નર તે એમનો વૈભવ જોઈને ચકિત થઈ ગયેલું. વાટાઘાટો સફળતામાં પરિણમતાં ગવર્નર ઘણે પ્રસન્ન થયેલે. સરકાર પ્રત્યે મૈત્રીપૂર્ણ વર્તાવ દર્શાવવા માટે શેઠને સરકાર તરફથી જરિયન તૂરો એનાયત થયેલે. કચ્છી નાગરિકમાં જે. સી. નું પદ મેળવનારાઓમાં તેઓ પહેલા જ હતા. શેઠ પાસે ચાર ઘોડાની ગાડી હતી તેણે તે મુંબઈમાં કુતૂહલ સજેલું. આવી બીજી ગાડી માત્ર સર કાવસજી જહાં ગીર પાસે જ હતી. એ વખતે મેટી મેટી વ્યક્તિઓનું સ્વાગત કરવા માટે આ ગાડીને ઉપયોગ થતો હેઈને તે વખતની મુંબઈની તવારીખેમાં કેશવજી શેઠની ચાર ઘેડાની ગાડી, તેને અંગ્રેજ કોચમેન, વિશાળકાય શેઠને નિહાળવા એકત્રિત થતો જનસમુદાય વગેરે વિશે રસપ્રદ વર્ણન મળે છે. એવી લોકવાયકા પણ પ્રચલિત હતી કે શેઠની ગાડી ઉંમરખાડી જેલ પાસેથી પસાર થાય ત્યારે જે કઈને ફાંસીની સજા અપાતી હોય તે તે રદ કરવી એ મુંબઈ સરકારે હુકમ કર્યો હતો. જૂના મુંબઈના સંભારણમાં આવી અનેક વાતે સંગૃહીત છે ! એ વખતે મુંબઈ સુધરાઈનો વહીવટ સરકાર તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com હતા અને આ વખતે પગ

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406