Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 252
________________ અધ્યયન-૨, ઉદેસો-૩ ૨૪૯ ૩િ૯૪] વળી જે વિમધ્યમ પ્રકારના પુરષ હોય તે પોતાની પત્ની સાથે આ પ્રમાણે કર્મનું સેવન કરે પરન્તુ પારકી પત્ની સાથે તેવા અયોગ્ય કર્મનું સેવન ન કરે. પરન્તુ પારકીપત્ની સાથે આવો પુરુષ જો પાછળથી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય ? તો કહે છે કે કોઈ તેવા પ્રકારનો ભવ્ય આત્મા જીવાદિક નવ પદાર્થોનો જાણકાર થયો હોય, આગમાદિ શાસ્ત્રના અનુસાર ઉત્તમ સાધુભગવન્તોને ધર્મમાં ઉપકાર કરનાર, આહારાદિકનું દાન દેનાર, દાન શીલ તપ અને ભાવના રૂપ ચારે પ્રકારના ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન કરતો હોય. કોઈપણ પ્રકારે ગમે તેવા સંકટમાં પણ ગ્રહણ કરેલા નિયમો અને વ્રતોનો ભંગ ન કરે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યપણું કે ઉત્તમદેવપણું તેમજ સમ્યકત્વથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ સમ્યકત્વ હોય કે અભિગમિક સમ્યકત્વ થકી ઉત્તરોત્તર અઢાર હજાર શીલાંગોને ધારણ કરનાર થઈ . આશ્રવદ્ગારોનો બંધ કરીને કર્મ રજ અને પાપમલ રહિત બની પાપ કર્મોને ખપાવીને સિદ્ધગતિ પામે. [૩૯૫ જે અધમપુરુષ હોય તે પોતાની કે પારકી સ્ત્રીમાં આસક્તમનવાળો હોય, દરેક સમયમાં કુર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આરંભ તેમજ પરિગ્રહાદિક વિષે તલ્લીન મનવાળો હોય. તેમજ વળી જે અધમાધમ પુરુષ હોય તે મહાપાપ કર્મ કરનાર સર્વ સ્ત્રીઓનો વચન મન કાયાથી ત્રિવિધ ત્રિવિધે દરેક સમયે અભિલાષ કરે. તથા અત્યન્તકુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કાલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારી પણું સમજવું. [૩૯] હે ભગવંત! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનન્ત સંસારો પણું આમ જણાવ્યું તો એક અધમ બીજો અધમાધમ તેમાં ખાસ તફાવત કયો સમજવો? હે ગૌતમ ! જે અધમપુરુષ પોતાની કે પારકીસ્ત્રીમાં આસક્ત મનવાળો, કુર પરિણામયુક્ત ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં તલ્લીન હોવા છતાં પણ દિક્ષિત સાધ્વીઓ તેમજ શીલ સંરક્ષણ કરવાની ઇચ્છાવાળી હોય. પૌષધ-ઉપવાસ-વ્રતપ્રત્યાખ્યાન કરવામાં ઉદ્યમવાળી દુઃખિત ગૃહસ્થ સ્ત્રીઓના સહવાસમાં આવી પડેલા હોય તે અયોગ્ય અતીચારની માગણી કરે પ્રેરણા કરે આમંત્રણ કરે. પ્રાર્થના કરેતો પણ કામવશ બની તેની સાથે દુરાચાર ન સેવે. પરન્તુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા ભગિની વગેરે યાવત્ દીક્ષિત સાધ્વીઓની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન કરે. તે કારણે તેને મહાપાપ કરનાર અધમાધમ પુરુષ જણાવ્યો. હે ગૌતમ ! આ બેમાં આટલો ફરક છે. તેમજ જે અધમપુરુષ છે તે અનંતા કાલે બોધિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મહાપાપ કર્મ કરનાર દીક્ષિત સાધ્વીઓ સાથે પણ કુકર્મ કરનાર અધમાધમ પુરુષ અનંતી વખત અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા માટે અધિકારી બનતો નથી. આ બીજો તફાવત જાણવો. [૩૯૭] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાગપણું પામ્યા હોય જે ઉત્તમોત્તમ પુરુષ કહેલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396