Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 317
________________ મહાનિસીહ – ૫/૮૨૫ [૮૨૫] હે ભગવંત ! કયા કારણથી એમ કહેવાય છે ? હે ગૌતમ ! આચારમાં મોક્ષમાર્ગ છે પણ અનાચારમાં મોક્ષમાર્ગ નથી. આ કારણથી એમ કહેવાય છે. હે ભગવંત ! કયા આચારો છે અને કયા અનાચારો છે ? હે ગૌતમ ! પ્રભૂની આજ્ઞા અનુસાર વર્તવું તે આચાર તેના પ્રતિપક્ષભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર કહેવાય. તેમાં જેઓ આજ્ઞાના પ્રતિપક્ષભૂત હોય તે એકાંતે સર્વ પ્રકારે સર્વથા વર્જવા લાયક છે. જેઓ વળી આજ્ઞાના પ્રતિપક્ષભૂત નથી તેઓ એકાંતે સર્વ પ્રકારે સર્વથા આચરવા યોગ્ય છે. તથા હે ગોતમ ! જો કોઈ એવો જણાયકે આ શ્રમણપણાની વિરાધના કરશે તો તેનો સર્વથા ત્યાગ કરવો. ૩૧૪ [૮૨૬] હે ભગવંત ! તેની પરીક્ષા કેવી રીતે કરવી ? હે ગૌતમ ! જે કોઈ પુરુષ કે સ્ત્રીઓ શ્રમણપણું અંગીકાર કરવાની અભિલાષાવાળા (આ દીક્ષાના કષ્ટથી) કંપવા કે થરથરવા લાગે, બેસવા માંડે, વમન કરે, પોતાના કે બીજાના સમુદાયની આશાતના કરે, અવર્ણવાદ બોલે, સંબંધકરે, તેવા તરફ ચાલવા માંડે, અથવા અવલોકન કરે, તેના તરફ જોયા કરે, વેશ ખેંચી લેવા માટે કોઈ હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય, તેવાને ગીતાર્થ આચાર્ય, ગચ્છાધિપતિ કે બીજા કોઈ નાયક અતિનિપુણતાથી નિરૂપણ કરીને સમજાવે કે આવા આવા નિમિત્તો જેને માટે થાય તો તેને પ્રવજ્યા આપી શકાતી નથી. જો કદાચ પ્રવજ્યા આપેતો મોટો વિપરીત આચરણ ક૨ના૨વિરોધી બને છે. સર્વથા નિર્ધર્મ ચારિત્રને દૂષિત કરનાર થાય. તે સર્વ પ્રકારે એકાંતે અકાર્ય કરવા માટે ઉદ્યત થએલા ગણાય. તેવા પ્રકારનો તે ગમે તેમ શ્રુતઅ થવા વિજ્ઞાનનું અભિમાન કરનાર થાય. ઘણારૂપ બદલનારો થાય. [૮૨૭-૮૩૦] હે ભગવંત ! તે બહુરૂપો કોને કહેવાય ? જે શિથિલ આચારવાળો હોય તેવો ઓસન કે કઠણ આચાર પાળનાર ઉદ્યત વિહારી બની તેવો નાટક કરે. ધર્મ રહિત કે ચારિત્રમાં દૂષણ લગાડનાર હોય તેવો. નાટક ભૂમિમાં વિવિધ વેશ ધારણ કરે તેના જેવો ચારણ કે નાટકીયો થાય, ક્ષણમાં રામ, ક્ષણમાં લક્ષ્મણ ક્ષણમાં દશમસ્તકવાળો રાવણ થાય, વળી વિકરાળ કાન, આગળ દાંત નિકળેલા હોય, વૃદ્ધાવસ્થા યુક્ત ગાત્રવાળો, નિસ્તેજ ફિક્કા નેત્રવાળો, ઘણા પ્રપંચ ભરેલો વિદુષક હોય તેમ વેષ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિના વાનર, હનુમાન કે કેસરીસિંહ થાય. આવા બહુરૂપી, વિદૂષક કરે તેમ બહુરૂપ કરનારો થાય. એવી રીતે હે ગૌતમ ! કદાચિત્ ભૂલચુક કે સ્ખલનાથી કોઈક અસતિને દીક્ષા અપાઈ ગઈ હોય તો પછી તેને દુર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું. પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન કરવી. તેની પાસે પાત્ર માત્રક કે ઉપકરણો ન પડીલહેરાવવા, તેને ગ્રન્થ શાસ્ત્રોના ઉદ્દેશો ન કરાવવા. કે અનુજ્ઞા ભણવાની ન આપવી. તેની સાથે ગુપ્ત રહસ્યની મંત્રણા ન કરવી. હે ગૌતમ ! કહેલા દોષથી રહિત હોય તેને પ્રવજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! મ્લેચ્છ દેશમાં જન્મેલાને અનાર્યને દીક્ષા ન આપવી. એ પ્રમાણે વેશ્યા પૂત્રને દીક્ષા ન આપવી, વળી ગણીકાને દીક્ષા ન આપવી, તેમજ નેત્ર રહિતને, હાથ પગ કપાએલા હોય, ખંડિત હોય તેને તથા છેદાએલા કાન નાસિકાવાળા હોય, કોઢ રોગવાળાને, શરીરમાંથી પરું ઝરતું હોય, શરીર સડતું હોય. પગે લંગડો હોય, ચાલી શકતો ન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396