Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 342
________________ અધ્યયન-5 ૩૩૯ છૂ. રેખા સરખી હું સર્વમાં અગ્રેસરી છું. એ પ્રમાણે સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. તેમજ મારા પગની ધૂળને સર્વે લોકો વંદન કરે છે. કારણકે તેની રજથી દરેકની શુદ્ધિ થાય છે. એ પ્રમાણે જગતમાં મારી પ્રસિદ્ધિ થએલી છે. હવે જો હું આલોચના આપીશ. મારો માનસિક દોષ ભગવંત પાસે પ્રગટ કરીશ તો મારા ભાઈઓ પિતા માતા આ વાત જાણશે તો દુઃખી થશે. અથવાતો પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્યું તેને મેં આલોચ્યું એટલે માત્ર જાણીને મારા સંબંધી વર્ગને કયું દુખ થવાનું છે? [૧૧૭૮-૧૧૮૨] જેટલામાં આ પ્રમાણે ચિંતવીને આલોયણા લેવા માટે તૈયાર થઈ, તેટલામાં ઉભી થતી હતી ત્યારે પગના તળીયામાં ઢસ કરતાંક એક કાંટો ભાંગી ગયો. તે સમયે નિ:સત્વા નિરાશાવાળી બનીને સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ? આ જન્મમાં મારા પગમાં ક્યારેય પણ કાંટો પેઠો ન હતો તો હવે આ વિષયમાં શું (અશુભ) થવાનું હશે? અથવા તો મે પરમાર્થ જાણ્યો કે ચકલા ચકલી સંઘટ્ટ કરતા હતા, તેની મેં અનુમોદના કરી તે કારણે મારા શીલવ્રતની વિરાધના થઈ. મૂંગો, આંધળો, કુષ્ઠી, સડી ગએલા શરીરવાળો લજ્જાવાળો હોય તો તે જ્યાં સુધી શીલનું ખંડન ન કરે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ કરે છે. આકાશગામી અથતુિ ઉભો કાંટો મારા પગમાં ખેંચી ગયો આ નિમિત્તથી મારા જે ભૂલ થએલી છે, તેનો મને મહાલાભ થશે. [૧૧૮૩-૧૧૮૮] સ્ત્રી મનથી પણ શીલનું ખંડન કરે તે પાતાલની અંદર સાતે પેઢીની પરંપરા-શાખામાં અગર સાતે નારકીમાં જાય છે. આવા પ્રકારની ભૂલ મેં કેમ ઉત્પન્ન કરી? તો હવે જ્યાં સુધીમાં મારા ઉપર વજ કે ધૂળની વૃષ્ટિ ન પડે, મારા હૈયાના સો ટુકડા થઈને ફૂટી ન જાય તો તે પણ એક મહા આશ્ચર્ય ગણાય. બીજું કદાચ જો હું આ. માટે આલોચના કરીશ તો લોકો આ પ્રમાણે ચિંતાવશેકે અમુકની પુત્રીઓ મનથી આવા પ્રકારનો અશુભ અધ્યવસાય કર્યો. તે કારણથી હું તેવો પ્રયોગ કરીને બીજાએ આવો વિચાર કર્યો હોય તેને કેટલું પ્રાયશ્ચિત આપે. એમ પારકાના બહાનાથી આલોચના કરીશ, જેથી મેં આ પ્રમાણે ચિંતવ્યું છે તેમ બીજા કોઈ તે જાણે. ભગવંત આ દોષનું જે પ્રાયશ્ચિત આપશે તે ઘોર અતિનિષ્ફર હશે તો પણ તેમણે કહેલું સાંભળીને તેટલું તપ કરીશ. જ્યાં સુધિ ત્રિવિધ ત્રિવિધ શલ્ય રહિત પણે તેવા પ્રકારનું સુંદર શીલ અને ચારિત્ર પાલન કરવામાં ન આવે ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી. [૧૧૮૯-૧૧૯૪] હવે તે લક્ષ્મણા સાધ્વી પારકાના ન્હાનાથી આલોચના ગ્રહણ કરીને તપસ્યા કરવા લાગી, પ્રાયશ્ચિત્ત નિમિત્તે પચાસ વરસ સુધી છઠ્ઠ અઠ્ઠમ ચાર ઉપવાસ કરીને દશ વરસ પસાર કર્યા. પારણે પોતાને માટે ન કરેલા હોય, કરાવેલા ન હોય, કોઈએ સાધુનો સંકલ્પ કરીને ભોજનો તૈયાર કર્યું ન હોય, ભોજન કરતા ગૃહસ્થોને ઘરે વધેલી હોય તેવા પ્રકારનો આહાર ભિક્ષામાં મળે તેનાથી પારણુ કરે, બે વરસ સુધી ભુંજેલા ચણાજ આહારમાં વાપરે. સોળ વરસ લગાતાર ઉપરા ઉપરી માસક્ષમણ તપ કયાં. વીસ વરસ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી. કોઈ દિવસ આવશ્યક ક્રિયાઓ છોડતી નથી. પ્રાયશ્ચિત નિમિત્તે દીનતા વગરના મનથી આ સર્વ તપશ્ચર્યા કરતી હતી, હે ગૌતમ ! ત્યારે તે ચિંતવવા લાગી કે પ્રાયશ્ચિત્તમાં જે મેં તપ કર્યું તેનાથી મારા દયનું પાપ શલ્ય શું નહિં ગયું હશે? કે જે મનથી તે સમયે વિચાર્યું હતું. બીજી રીતે પ્રાયશ્ચિતતો મેં ગ્રહણ કર્યું છે. બીજી રીતે મેં કર્યું છે, તો શું તે આચરેલું ન ગણાય? એમ ચિંતવતી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396