Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
ઉપોદ્ઘાત
પોતાના અંતર્ગત સ્વભાવ. દા.ત. સાકરનો ધર્મ ગળ્યું કરવાનો; લીમડાનો ધર્મ કડવાશનો સ્વાદ આપવાનો, પાણીનો ધર્મ શીતળતા ઉત્પન્ન કરવાનો, અગ્નિનો ધર્મ બાળવાનો. આથી શાસ્ત્રોમાં કહ્યું વસ્તુ સEાવો ઘમ્પો – વસ્તુનો સ્વભાવ તે ધર્મ.
આ એક ઘણી જ અગત્યની વ્યાખ્યા છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તેના અંતર્ગત સ્વભાવને જાણે અને તેને સમજી તેને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે તો જ પ્રગતિ કરી શકે. કામ, ક્રોધ વગેરે કષાયો માણસના અંતર્ગત સ્વભાવમાં નથી. તે તમામ ક્ષણિક આવેશના વિષયો છે અને તેનો ઉદય થયા બાદ તેના જે પરિણામો આવે છે તે જે વ્યક્તિમાં તેનો ઉદય થયો હોય તેને તથા તેની આજુબાજુના સમાજને નુકસાનકારક નીવડે છે. તેથી ઉલટું સત્ય, અહિંસા, પ્રેમ, સૌહાર્દ વ્યક્તિ તથા સમાજમાં સુખ અને સમભાવ ઉત્પન્ન કરે છે. આથી “જીવ' અગર “આત્મા'નો અંતર્ગત સ્વભાવ સત્ ચિત્ત અને આનંદનો છે. માટે તે સ્વભાવને જાણી સમજીને તેમાં પ્રગતિ કરીએ તે “ધર્મ છે. “જીવ’ જયારે કષાયોમાં જાય છે ત્યારે તે “સ્વભાવમાં નથી જતો પરંતુ “પર”ભાવમાં જાય છે અને તેથી ગીતાજીમાં પણ એમ કહ્યું કે સ્વધર્મ નિધન છેઃ ઘરધર્મો મચાવEઅહીં “ધર્મ' શબ્દ સાંપ્રદાયિક અર્થમાં નથી. આથી આપણે આધિભૌતિક પ્રગતિ ઈચ્છતા હોઈએ તો આપણા જીવે (આત્માએ) સ્વ-ધર્મમાં રહીને જ પ્રગતિ કરવી જોઈએ, પરંતુ ભૌતિક પ્રગતિ કરવી હોય તો કામ, ક્રોધ, લોભ વગેરે કષાયોના પર ધર્મમાં થઈ શકે. પસંદગી આપણી જ છે.
આથી જૈન પરિભાષામાં “ધર્મનો અર્થ એ થયો કે તે એવું તત્ત્વ છે કે જે જીવ'ને એટલે આત્માને ગતિશીલતા બક્ષે છે. આ ગતિશીલતા માણસને સારા રસ્તે ચડાવે તેમજ ખોટે રસ્તે પણ ચડાવે. આપણો “સ્વભાવ શું છે તે સમજવામાં ભૂલ કરીએ તો આપણે “પર”ભાવમાં પ્રગતિ કરીએ. જે આપણે સામાન્ય રીતે કરતા આવ્યા જ છીએ, પરંતુ આપણા “સ્વભાવને સમ્ય દષ્ટિથી સમજીએ તો આપણી પ્રગતિ જુદી ઢબે જ થાય.
(૩) “અધર્મ ત્રીજું દ્રવ્ય “અધર્મ છે. અહીં પણ “અધર્મ' એટલે પાપ તેમ નથી સમજવાનું.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org