Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૮૪
અધ્યયન-૮
અધ્યયન ૮ : કપિલિક
અધ્યયન સારી
अदुवे असासयंमि संसारंमि दुख्ख पउराओ । किं नामहूज्जत्त कम्मयं जेणाहंदुग्गइं नगछेज्जा ।। (१)
અર્થાત્, આ અદ્ભવ અને અશાશ્વત સંસાર અનેક દુઃખોથી ભરેલ છે. તેમાં કયું કર્મ એવું છે કે તે કરવાથી દુર્ગતિ ન થાય? (ગા. ૧).
સંસારના તમામ પૂર્વ સંબંધો છોડીને કોઈના ઉપર પર મોહ ન કર. પોતાના ઉપર મોહ રાખનાર ઉપર પણ સાધકે મોહ કરવો ન જોઈએ. જે વ્યક્તિ મોહરહિત છે અને જે જ્ઞાન-દર્શન સહિત છે તે તો સર્વ જીવોનું હિત અને મોક્ષ ઈચ્છે છે. ક્રોધાદિક પ્રકારના જે બંધના હેતુઓ છે તેમાં સાધકે લુબ્ધ થવું જોઈએ નહીં. આ (ગા. ર થી ૪).
જેની બુદ્ધિ મંદ છે, જે મૂઢ છે અને મોક્ષથી વિમુખ થઈ ધર્મને વિષે આળસ કરે છે તે બળખામાં ચોંટી ગયેલ માખીની પેઠે સંસારમાં જ બંધાઈ રહીને નાશ પામે છે. (ગા. ૫).
કાયર પુરૂષો આ કામભોગને સહેલાઈથી છોડી શકતા નથી પણ વ્યાપારી જેમ વહાણથી સમુદ્રને તરે છે તેમ સાધુ પુરૂષ સંસાર સમુદ્ર તરી જાય છે. (ગા. ૬)
जहालाभो तहा लोभो लाभालोभो पवई । दो मासकयं कज्जं कोडी अवि नानीठियं ।। (१७)
અર્થાત, યથા તામસ્તથા નોમ – જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. બે માસાથી જરૂરિયાત પૂરી પડતી હતી છતાં કોટી ધનથી પણ તેમને) સંતોષ થયો નહીં. (ગા. ૧૭)
સ્ત્રી-પાશ રાક્ષસી છે. પુરૂષને તે દાસ બનાવે છે. જેઓ કામભોગમાં આસક્ત
ઉત્તરાધ્યયન • સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org