Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 111
________________ અધ્યયન-૧ સાધુ ધર્મ અધ્યયન ૧ : શિષ્ય ધર્મ - વિનયશ્રુત અધ્યયન ૨ : પરિષ અધ્યયન ૧૧ : સાચો જ્ઞાની અધ્યયન ૧૫ : સાચો ભિક્ષુ અધ્યયન ૧૭ : પાપી શ્રમણો અધ્યયન ૨૬ : ભિક્ષુની દિનચર્યા - સમાચારી અધ્યયન ૨૭ : ગળિયો બળદ - ખલુંકીય અધ્યયન ૩૫ : સાધુનો કર્મ : અણગારાધ્યયન નોંધ : આ સાત અધ્યયનો સાધુઓએ રાખવાના આચારધર્મની નાનામાં નાની વિગતવાળા છે. તેની ઝીણી ઝીણી વિગતોમાં ઉતરવાને બદલે અગત્યનો સાર અહીં આપવામાં આવેલ છે. અધ્યયન ૧ : શિષ્ય ધર્મ વિનયશ્રુત શ્રી ગોપાલદાસભાઈ કહે છે તેમ બાહ્ય વિનય તે આંતરિક નમ્રતાનું લક્ષણ છે. આ અધ્યયનમાં શિષ્યે પોતાના ગુરૂ પ્રત્યે બેસવા, ઉઠવા, બોલવા વગેરે તમામ દૈનિક ક્રિયાઓમાંથી કઈ જાતનો વિનય રાખવો જોઈએ તે ઝીણામાં ઝીણી વિગતથી સમજાવ્યું છે. Jain Education International 2010_03 - ૧૦૭ ગુરૂની આજ્ઞાની રાહ જોયા વિના તેમનો મનોભાવ સમજી લઈને તેમણે બતાવેલા માર્ગને શિષ્યે અનુસરવો. (ગા. ૧ થી ૭) શિષ્યે ગુરૂ પાસે પોતાની વાચાળતા દેખાડવાને બદલે શાંત રહેવું અને ગુરૂ કોઈ ભૂલ બતાવે તો ગુસ્સે ન થવું. (ગા. ૮-૯) કોઈ દુષ્કૃત્ય થઈ જાય તો ગુરૂ પાસે છુપાવવું નહીં. (ગા. ૧૦) ગુરૂના આદેશની વારંવાર રાહ જોવી નહીં. (ગા.૧૨) જાહેરમાં કે એકાંતમાં ગુરૂ સમીપે શત્રુભાવ દર્શાવવો નહીં. કોઈ ઉત્તરાધ્યયન - સાર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126