SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ અધ્યયન-૮ અધ્યયન ૮ : કપિલિક અધ્યયન સારી अदुवे असासयंमि संसारंमि दुख्ख पउराओ । किं नामहूज्जत्त कम्मयं जेणाहंदुग्गइं नगछेज्जा ।। (१) અર્થાત્, આ અદ્ભવ અને અશાશ્વત સંસાર અનેક દુઃખોથી ભરેલ છે. તેમાં કયું કર્મ એવું છે કે તે કરવાથી દુર્ગતિ ન થાય? (ગા. ૧). સંસારના તમામ પૂર્વ સંબંધો છોડીને કોઈના ઉપર પર મોહ ન કર. પોતાના ઉપર મોહ રાખનાર ઉપર પણ સાધકે મોહ કરવો ન જોઈએ. જે વ્યક્તિ મોહરહિત છે અને જે જ્ઞાન-દર્શન સહિત છે તે તો સર્વ જીવોનું હિત અને મોક્ષ ઈચ્છે છે. ક્રોધાદિક પ્રકારના જે બંધના હેતુઓ છે તેમાં સાધકે લુબ્ધ થવું જોઈએ નહીં. આ (ગા. ર થી ૪). જેની બુદ્ધિ મંદ છે, જે મૂઢ છે અને મોક્ષથી વિમુખ થઈ ધર્મને વિષે આળસ કરે છે તે બળખામાં ચોંટી ગયેલ માખીની પેઠે સંસારમાં જ બંધાઈ રહીને નાશ પામે છે. (ગા. ૫). કાયર પુરૂષો આ કામભોગને સહેલાઈથી છોડી શકતા નથી પણ વ્યાપારી જેમ વહાણથી સમુદ્રને તરે છે તેમ સાધુ પુરૂષ સંસાર સમુદ્ર તરી જાય છે. (ગા. ૬) जहालाभो तहा लोभो लाभालोभो पवई । दो मासकयं कज्जं कोडी अवि नानीठियं ।। (१७) અર્થાત, યથા તામસ્તથા નોમ – જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. બે માસાથી જરૂરિયાત પૂરી પડતી હતી છતાં કોટી ધનથી પણ તેમને) સંતોષ થયો નહીં. (ગા. ૧૭) સ્ત્રી-પાશ રાક્ષસી છે. પુરૂષને તે દાસ બનાવે છે. જેઓ કામભોગમાં આસક્ત ઉત્તરાધ્યયન • સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004591
Book TitleAgam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy