SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૮ હંમેશા અતૃપ્ત રહેતી તૃષ્ણાઓ નોંધ : કપિલ મુનિ કોશાંબીના કાસ્યપ બ્રાહ્મણના પુત્ર હતા. તેમના પિતા કાસ્યપ રાજ્બુરોહિત હતા પરંતુ કપિલની બાલ્યવયમાં જ તેમનું મૃત્યુ થયું હતું. પિતાના મૃત્યુ બાદ * પિતાનું સ્થાન પોતાને મળે તેવી ઈચ્છાથી તેઓ શ્રાવસ્તી નગરીમાં અભ્યાસ કરવા ગયા. ત્યાં આગળ એક શેઠને ત્યાં નોકરીએ રહીને અભ્યાસ રવાની વ્યવસ્થા ટાઈ. દરમ્યાન તે શેની એક સ્વરૂપવાન ઘસી સાથે અનુરાગ થયો અને કપિલ ભણવાનું ભૂલી ગયા. આર્થિક તંગીમાં ઘરસંસાર ચલાવવાનું મુશ્કેલ થતું ગયું. દરમ્યાનમાં તેમના જાણવામાં આવ્યું કે ત્યાંના રાજા પ્રસન્નતિ પ્રભાતમાં તેમને જે વ્યક્તિ સૌથી પ્રથમ આશીર્વાદ આપે તેને બે સોનામહોર ભેટ આપે છે. આ ભેટ લેવા કપિલે પ્રભાતમાં સૌથી પ્રથમ આવવા માટે રાત્રીના સમયે જરાજ્મહેલ બાજુ પ્રયાણ કર્યું, પરંતુ આવા સમયે મહેલ પાસે તેમને ભટક્તા જોઈને તે ચોર છે તેમ સમજીને રાજાંના માણસો તેમને પક્કીને રાજા પાસે લઈ ગયા. કપિલે ખરી હકીક્ત રાજાને ી ત્યારે ખુશ થઈને રાજાએ તે માંગે તેલું દ્રવ્ય સાંજ સુધીમાં આપવા ઈચ્છા દર્શાવી. આથી કેટલું દ્રવ્ય માંગવું કે જેથી કાયમ માટે તેનું દળદર ફીટી જાય તેનો વિચાર કરવા કપિલ બાજુના ઉદ્યાનમાં ગયા. વિચાર રવા માટે સાંજ સુધીનો સમય હતો. ર તો ફક્ત બે સોનામહોરોની જ હતી પરંતુ જેમ જેમ વિચાર કરતા ગયા તેમ તેમ સો, હજાર, લાખ અને રોડ સિક્કાથી પણ પોતે તાા પેલી દાસી એશઆરામથી રહી શક્શે કે કેમ તેનો નિર્ણય કરી શક્યા નહીં. તેમ કરતાં સાંજ પડી ગઈ અને તેથી રાજાએ આપેલ વચન વ્યર્થ ગયું !! આ પ્રસંગે કપિલના મનોવ્યાપારમાં જે મથામણ ાઈ તેમાં તેમને જ્ઞાન થયું કે તેઓ તો ફક્ત બે સોનામહોરો લેવા આવેલ પરંતુ તૃષ્ણાને કોઈ સીમા હોતી નથી અને અતૃપ્ત મન ી તૃપ્ત થતું નથી. સંસારના તમામ કામભોગની આજ તાસીર છે તેમ સમજી તેઓએ ભૌતિક સંસારનો ત્યાગ ર્યો અને સ્વયં સંબુદ્ધ થઈને વિરક્તિને પામ્યા. બાદમાં પરમાર્થે રાજ્ગહી નગરના વનમાં એક બલભદ્ર અને તેના પાંચસો સાથીઓને જે બોધ આપ્યો તે આ અધ્યયનમાં છે. Jain Education International 2010_03 ઉત્તરાધ્યયન - સાર C3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004591
Book TitleAgam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy