________________
અધ્યયન-૧૬
(૯) નિર્ગથે પોતાના શરીરને વિભુષીત કરવું નહીં. (૧૦) નિર્ગથે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની ઈદ્રિયોને વશ રહેવું નહીં.
નિગ્રંથ માટે ઉપરની તમામ ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ કરવાનું મુશ્કેલ હોવા છતાં તેનો ત્યાગ આવશ્યક છે. કારણ કે તે તમામ ‘તાલપુટ' (જેનાથી તાળવું ફાટી જાય) વિષ સમાન છે. જે બ્રહ્મચારી કામભોગની આ સર્વ વસ્તુઓને હંમેશને માટે ત્યાગ કરે છે તેને દેવ, દાનવ, ગાંધર્વ, યક્ષ અને કિન્નર પણ નમસ્કાર કરે છે. શ્રી તીર્થકર દેવે ભાખેલ આ ધર્મ પાળીને અનેક જીવો સિદ્ધિને પામ્યા છે અને પામશે.
નોંધ : ભગવાન મહાવીરે ચતુર્યામમાં બ્રહ્મચર્યનો ઉમેરો ક્રી પંચશીલની પ્રરૂપણા શ્રી સ્ત્રીને પણ પુરૂષ જેટલો જ બ્રહ્મચર્યનો હક્ક આપ્યો. તેથી અહીં પુરૂષને ઉદ્દેશીને સ્થાનોની જે ચર્ચા કરી છે તે સ્ત્રીઓને પણ લાગુ પડે જ અને તેથી જ્યાં જયાં સ્ત્રીસંગ ત્યાગવાની વાત આવે છે ત્યાં સ્ત્રીઓ માટે પુરૂષસંગની વાત સમજવી.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org