Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૪૮
અધ્યયન-૨૮
મુક્તિનો માર્ગ
નોંધ : અધ્યયન ૩૬માં જીવ-અજીવની સમજ આપી એજ સમજને આનુષંગિક તત્ત્વોની સમજ આ અધ્યયનમાં આપીને બતાવ્યું છે કે સાધક મુક્તિને રસ્તે કેવી રીતે પ્રગતિ રી શકે છે. આ અધ્યાયમાં જૈન તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ સાર આવી જાય છે અને તે સમજવા માટે ઉપોદઘાતમાં જે રૂપરેખા આપી છે તે જરૂર મદદગાર થશે.
અધ્યયન ૨૮ : મોક્ષ માર્ગ ગતિ (મોક્ષ માર્ગની સમજી
ભગવાન કહે છે : હે ભવ્ય જીવો! શ્રી જિન-ભાષિત મોક્ષ માર્ગના ચાર લક્ષણો છે. તે (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર અને (૪) તપ. આ ચાર લક્ષણોથી સાધના કરનાર જીવ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે.
જ્ઞાનના પાંચ પ્રકાર છે : (૧) મતિ, (ર) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યાય અને (૫) કેવલ. (ગા. ૧ થી ૫)
નોંધ ૧ : દર્શન, જ્ઞાન અને ચારિત્ર – આ ત્રણ વસ્તુઓ જેન દર્શનમાં “રત્નતત્રયી' તરીકે ઓળખાય છે. જેની ટૂંકી સમજ ઉપોદઘાતમાં આપી છે. પરંતુ જ્ઞાન’ના પાંચ પ્રકારો બાબતની ચર્ચા તેમાં નથી તે બાબત ટૂંમાં ઠ્ઠીએ.
આત્માનો મૂળભૂત ગુણ (સ્વભાવ) “જ્ઞાન” છે. વનસ્પતિથી માંડીને માણસનું ‘હું પણાનું જ્ઞાન દરેક બદલતી પરિસ્થિતિમાં પણ કાયમ જ હોય છે. સ્વમાવસ્થા, શુષુપ્તાવસ્થા, જાગૃતાવા, બાલ્ય, કોમાર કે વૃદ્ધાવસ્થા તે તમામમાં પૌલ્ગોલિક તેમજ સાંયોગિક ફેરફારો અનેક જાતના થાય છે. પરંતુ આત્મજ્ઞાન – હું પણાનું જ્ઞાન કાયમ જ રહે છે. બાહ્ય વસ્તુઓ કે પ્રસંગોનું જ્ઞાન આત્માને ઈન્દ્રયો દ્વારા મળે છે ત્યારે તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે કેમકે તે ઈન્દ્રિયોની મદદટી મળેલ છે, પરંતુ ઈન્દ્રયોની મદદ વિના આત્માને સીધેસીધું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તે પ્રત્યક્ષ' જ્ઞાન કહેવાય છે. આથી ઉપર જણાવ્યું તેમ જ્ઞાનના પાંચ પ્રકારો હૃાા.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org