Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૫૬
અધ્યયન-૩૨
- જે સ્ત્રીની કામના છોડી શક્યા છે (કામ ઉપર જેણે વિજય મેળવ્યો છે) તેને આ લોકમાં બીજું બધું ત્યાગવું સહેલું છે. (ગા. ૧૮)
रुवेसु जा गिद्धिमुवेइ तिळ, अकालियं पावइ से विणासं । रामाउरेसे जहवापयंगे, अलोय लोले समुवेइमचुं ।। (र४)
અર્થાતુ, જેવી રીતે રાગાતુર પતંગ દીપકથી આકર્ષાઈને તેમાં ઝંપલાવીને વિનાશ પામે છે, તેવી રીતે રૂપને વિષે તીવ્ર મૂછ રાખનાર અકાળે વિનાશ પામે છે. (ગા. ર૪)
જે કોઈ કુરૂપ દેખીને અતિ દ્વેષ કરે છે તે તત્પણ દુઃખ પામે છે, તેમાં દોષ તેનો પોતાનો જ છે, કુરૂપનો નથી.
જે વિતરાગ છે તે આવા રાગદ્વેષથી મુક્ત રહે છે. મનોહર રૂપનો રાગી જીવ (પોતાને ગમતી વસ્તુ) પ્રાપ્ત કરવામાં, તેનું રક્ષણ કરવામાં, તેનો ઉપભોગ કરવામાં તથા તેના નાશ અને તેનાથી થતા વિરહથી પોતાને બચાવવામાં જ (સતત પ્રયત્નશીલ રહે છે, તેથી સુખી ક્યાંથી થાય? જ્યારે રૂપથી તૃપ્તિ થતી નથી ત્યારે તેની આસક્તિ વધતી જ જાય છે અને લોભથી દોરવાઈને પારકી વસ્તુ હાથ કરે છે, પણ પરિગ્રહથી તેને સંતોષ થતો નથી. આથી તેનામાં માયા અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી. રૂપના મોહથી વિરક્ત મનુષ્ય શોકથી મુક્ત રહે છે. જેમ કમલપત્ર જળમાં રહેવા છતાં ભીંજાતું નથી તેમ તે સંસારમાં રહેવા છતાં દુઃખથી ખરડાતો નથી.
' શબ્દ કાનનું આકર્ષણ કરે છે. જેવી રીતે રાગાતુર હરણ મુગ્ધ શબ્દોથી લલચાઈને અકાળ મરણને પામે છે. તે જ રીતે શબ્દોથી મોહિત થયેલ વ્યક્તિ અકાળ વિનાશને પામે છે.
તેજ રીતે ગંધનું આકર્ષણ : જે રીતે સર્ષ ઔષધિની સુગંધથી રાફડામાંથી બહાર આવે છે અને પછી દુઃખને પામે છે, તે જ રીતે સુગંધ વિષે રાગદ્વેષ રાખનાર દુઃખને પામે છે.
રસ જીભનું આકર્ષણ કરે છે અને મધુર અગર કટુ રસ રાગદ્વેષનું કારણ બને છે અને જેમ માછલી રસના લોભથી લલચાઈને લોઢાના કાંટાથી ભૂદાઈને અકાળે
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org