Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૮૦
અધ્યયન-૩૪
અત્યંત તીખો, કપોતનો કાચી કેરીના સ્વાદ કરતાં અનંત ગણો ખાટો, તેજોનો પાકી કેરીના સ્વાદ કરતાં વધુ મીઠો, પદમનો આસવ અગર મધુના સ્વાદ કરતાં અનંત ગણો સ્વાદિષ્ટ, શુકલનો ખજૂર, દ્રાક્ષ અને સાકરના સ્વાદ કરતાં અનંત ગણો મધુર હોય છે. (ગા. ૧૦ થી ૧૫).
ગંધઃ પ્રથમની ત્રણ વેશ્યાઓની ગંધ ગાય, કૂતરા કે સાપના મડદા કરતાં ખરાબ અને છેલ્લી ત્રણ લેશ્યાઓની ગંધ સુગંધીદાર પુષ્પો કરતાં અતિ ઉત્તમ હોય છે. (ગા. ૧૬-૧૭)
પરિણામ : હિંસા, અસત્ય, શૌર્ય, પરિગ્રહ અને અબ્રહ્મચર્ય એ પાંચ આસ્રવોથી યુક્ત જેનું મન છે, જે આલોક કે પરલોકની પરવા નથી કરતો તે અજિતેંદ્રિય માણસ કૃષ્ણ લેશ્યાનો હોય છે. (ગા. ૨૧-૨૨).
ઈર્ષ્યા, અવિદ્યા, માયા, નિર્લજ્જતા, વિષયલંપટતા વગેરે વિવિધ પાપ પ્રવૃત્તિઓમાં રત રહેતો માણસ નીલ ગ્લેશ્યા પામે છે. (ગા. ર૩-૨૪)
શઠ, વાંકુ બોલનાર અને આચરનાર, કપટયુક્ત, દુષ્ટ બોલવાવાળો માણસ કપોત લેશ્યા પામે છે. (ગા. ૨૫-૨૬)
નમ્ર, અચપલ, અકુતૂહલી, વિનયી, ઈન્દ્રિયનિગ્રહી, ધર્મપ્રિય, સર્વનો હિતૈષી માણસ તેજો વેશ્યા પામે છે. (ગા. ર૭-ર૮)
જે પ્રશાંત ચિત્ત છે, જેના કષાયો બહુ ઓછા થઈ ગયા છે, જે સ્વલ્પભાષી અને જિતેન્દ્રિય છે તે પદમ લેશ્યા પામે છે. (ગા. ર૯-૩૦).
જે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં રહે છે, પ્રશાંત ચિત્ત છે, જે સમિતિઓ પાળે છે અને વિતરાગી છે તે શુકલ લેશ્યા પામે છે. (ગા. ૩૧-૩૨)
મરણ સમયે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે ત્યારે પછીના ભવની વેશ્યા પરિણમે છે. આ પરિણમવાનો છેલ્લો સમય બાકી હોય ત્યારે જીવ પરલોકમાં જાય છે. (ગા. ૫૮ થી ૬૦)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org