Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
ઉપોદ્ધાત
- ૧૫
તત્તવ છે તે તેના જીવનની તમામ વિવિધતામાં કાયમ જ રહે છે. માણસ જમ્યા બાદ તેની કુમારાવસ્થા, યૌવન, પીઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થાની વિવિધ શ્રેણીમાંથી પસાર થાય છે ત્યારે તેનો દેખાવ, શરીર, સ્વાથ્ય, બુદ્ધિ, કાર્યશીલતા વગેરે બધામાં વિવિધ પ્રકારના ફેરફારો થતા હોવા છતાં તેની “હુંપણાની સભાનતા જેવી ને તેવી જ જીવનના અંત સુધી ચાલુ જ રહે છે. આ સભાનતા જુદા જુદા સ્વરૂપ ધારણ કરતી શારીરિક સ્થિતિથી ભિન્ન છે. આ ભિન્નતાને ઓળખવા માટે આપણે “જીવ' અને અજીવ'નો શબ્દપ્રયોગ કરીએ છીએ. જૈન તત્ત્વજ્ઞોએ તો સ્વયંસંચાલિત ન હોય તેવી ધૂળ વસ્તુઓમાં પણ “જીવ છે તે પ્રતિપાદન કર્યું તેથી વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વીમાં પણ “નિગોદના જીવ છે તેમ કહ્યું છે જે હવે વિજ્ઞાને પણ સ્વીકાર્યું.
આ તમામ નિરીક્ષણ પછી તેઓએ કહ્યું કે સારાયે વિશ્વના બે મોટા વિભાગો કરવા હોય તો તે (૧) જીવ અને (૨) અજીવ છે અને તેમાંનું “જીવ” તત્ત્વ શાશ્વત છે અને “અજીવ' તત્ત્વ રૂપાંતરને પાત્ર છે. સાથે બીજી બે વાતો કહી તે પણ અગત્યની છે. તે એ કે આ બંને તત્ત્વો અનાદિ છે. “જીવ' તત્ત્વ અનંત છે અને રૂપાંતરને પાત્ર નથી. બીજી વાત એ કહી કે આ બંને તત્ત્વો અનાદિ કાળથી એકબીજા સાથે સંલગ્ન છે અને જયાં સુધી તેઓ સંલગ્ન છે ત્યાં સુધી “જીવ' તત્વ તેની ચૈતન્ય શક્તિ અજીવ' તત્ત્વને પૂરી પાડે છે. તેના અસલ અને નૈસર્ગિક સ્વરૂપમાં “જીવ' તત્ત્વ જયારે “અજીવ તત્ત્વથી છૂટું પડે ત્યારે શુદ્ધ ચૈતન્યમય દશામાં હોય છે અને તે દિશામાં તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન સ્વરૂપે હોય છે. પરંતુ “અજીવ તત્ત્વના સંસર્ગથી તેની આ શુદ્ધ ચૈતન્ય શક્તિ ઝાંખી પડે છે અને “અજીવ' તત્ત્વના ગુણોને પોતાની ચૈતન્ય શક્તિ પૂરી પાડે છે. તેથી સંસારની આ વિવિધ ઘટમાળો અને તેમાંથી ઉત્પન્ન થતાં સુખદુઃખ “જીવને ભોગવવા પડે છે. આથી “જીવને અબાધિત સુખની સ્થિતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તેનો અનાદિ કાળથી ચાલ્યો આવતો “અજીવ' સાથેનો સંસર્ગ તૂટે અને તે શુદ્ધ ચૈતન્યમય દશાને પ્રાપ્ત કરે.
અજીવ તત્ત્વ આમ હોવાથી સહેજે પ્રશ્ન થાય કે “અજીવ' સાથેનો “જીવ'નો આ સંસર્ગ કેવી
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org