________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ નિષેધવાચીપણામાં તેના અભાવરૂપ પરીષહ વેદનીય કર્મનો ઉદય છે. - આ ભાવપરીષહના દ્વારો અનંતર કહેવાશે. તે જ કહે છે
• નિયુક્તિ - ૬૮ + વિવેચન :
(૧) કયા અંગાદિથી આ ઉદ્ધત છે? (૨) કયા સંયતને આ પરીષહો છે? (૩) આનું ઉત્પાદક દ્રવ્ય શું છે ? (૪) કઈ કર્મ પ્રકૃતિમાં આનો સંભવ છે ? (૫) કઈ રીતે આ સહન કરવારૂપ છે ? (૬) કયો નય કયા પરીષહને ઇચ્છે છે? (૭) સુધાદિ કેટલા પરીષહ એક સાથે એક સ્વામીમાં વર્તે છે? (૮) કેટલો કાળ પરીષહનું અસ્તિત્વ છે ? (૯) કયા અથવા કેટલાં ક્ષેત્રમાં છે ? (૧૦) ઉદેશ, (૧૧) તેની જિજ્ઞાસામાં શિષ્યનો પ્રશ્ન (૧૨) ગુરુ વડે પૃષ્ટ અર્થવિશેષને કહેવો. (૧૩) સૂત્ર સૂચિત અર્થ વચન. તેમાં પહેલાં દ્વારનો ઉત્તર આપતા કહે છે -
• નિર્યુક્તિ • ૬૯ + વિવૈચન -
કર્મવાદપૂર્વના સત્તરમાં પ્રાભૃતમાં જે સૂત્ર છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં જાણવું. કર્મપ્રવાદ - કમનું પ્રકર્ષથી પ્રતિપાદન જેમાં છે તે. તેમાં પણ સત્તરમું પ્રાભૃત - પ્રતિ નિયત અર્વાધિકાર સૂત્ર - ગણધર પ્રણીત વ્યુતરૂપ. નૈગમાદિનય અને દૃષ્ટાંત સહ કહેવું. તે જ અહીં જાણવું, અધિક નહીં. બીજું દ્વાર -
• નિતિ - ૨૦ + વિવેચન -
અવિરત, વિરતાવિરત અને વિરતોને, માત્ર વિરતને જ નહીં એવું નૈગમનાય સુધાદિપરીષહને માને છે. ત્રણેને પણ પરીષહ સાતા આદિ કર્મના ઉદયથી થતાં સુધાદિને સહન કરવા, તેથી યથાયોગ સકામ કે અકામ નિર્જરા સંભવે છે. અનેક ગમત્વથી આના બધાં પ્રકાર સંગ્રાહિત્યથી આમ કહ્યું. સંગ્રહ, વ્યવહાર અને ઋજુસબ એ ત્રણે પણ પરીષહને માને છે. એક નયના સો ભેદ-પાથી આ ભેદોમાંના કેટલાંક પરીષહ પ્રતિ નૈગમનયથી તુલ્ય છે. ત્રયાણમ - શબદ પ્રધાન નયો, શબ્દ - સમભિરૂઢ - એવંભૂત. તેમના મતે વિરતને પરીષહ હોય છે. -
દ્રવ્યદ્વારને આશ્વીને નયમત કહે છે - • નિર્ણા - ૧ + વિવેચન -
નૈગમનયમાં આઠ ભંગો છે. (૧) એક પુરષાદિ વડે થપ્પડ આદિ થકી પરીષહ ઉદીરાય, ત્યારે પરીષહ વેદનીય કર્મના ઉદયનું નિમિત્તપણામાં પણ તેને તેની અવિવેક્ષાથી જીવ વડે આ પરીષહ ઉદીરાયો તેમ કહેવાય. (૨) જો ઘણા વડે હોય તો જીવો થકી (૩) જો એક અચેતનથી એક પત્થરાદિ વડે જીવપ્રયોગરહિતથી થાય તો અજીવ વડે, (૪) જે તે ઘણાં વડે થાય તો જીવો વડે. (૫) જો એક લુધ્ધિકાદિ વડે એક બાણ આદિ વડે થાય ત્યારે જીવ અને અજીવ વડે. (૬) જો એક વડે પણ ઘણાં બાણ વડે થાય ત્યારે જીવ અને અજીવોથી. (૭) જ ઘણાં પુરુષો થઈને એક શિલાદિ ઉપાડીને ફેંકાય ત્યારે જીવો અને અજીવથી. (૮) જો ઘણાં પુરુષો ઘણાં મુદૂગરાદિ મૂકે તો જીવો અને જીવો વડે પરીષહ ઉદીરાયો કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org