Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 669
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 - સૂત્ર - ૧૭૧૧ - આ પ્રમાણે સંસારી અને સિદ્ધ જીવોનું વ્યાખ્યાન કર્યું. રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારે અજીવોનું વ્યાખ્યાન પણ કર્યું. • વિવેચન - ૧૭૧૧ - ૨૧૬ સંસારી અને સિદ્ધના ભેદથી જીવોને સર્વ ભેદનીત વ્યાપ્તિથી કહ્યા. રૂપી - અરૂપી પણ કહ્યા. શું આ ભેદ સાંભળીને જ કૃતાર્થતા માનવી? તે આશંકાને નિવારવા કહે છે . • સૂત્ર - ૧૭૧૨ આ જીવ, અજીતનું વ્યાખ્યાન સાંભળીને તેમાં શ્રદ્ધા કરી જ્ઞાન અને ક્રિયા આદિ બધાં નયોથી અનુમત સંયમમાં મુનિ રમે. • વિવેચન - ૧૭૧૨ - . આ જીવ, અજીવને સાંભળી - અવધારીને, તે પ્રમાણે સ્વીકારીને નૈત્રમાદિ બધાં નચોથી અભિપ્રેત થઇને, જ્ઞાન સહિત સમ્યક્રાત્રિમાં મુનિ રમણ કરે. સંયમ એટલે પૃથ્વી આદિ જીવોના ઉપમર્દનની વિમેલ એવા મુનિ. - ૭ - સંયમ રતિ કર્યા પછી શું કરે ? તે કહે છે - • સૂત્ર - ૧૭૧૩ ત્યારપછી અનેક વર્ષો સુધી ગ્રામસ પાલન કરીને મુનિ આ અનુક્રમથી આત્માની સંલેખના કરે . ♦ વિવેચન - ૧૭૧૩ . - અનેક વર્ષો શ્રમણભાવનું આસેવન કરીને હવે કહેવાનાર ક્રમથી નયોનુષ્ઠાનરૂપ વ્યાપાર ક્રમથી - પ્રવ્રજ્યા લીધા સિવાય આ વિધિ કહી નથી. હવે કયા ક્રમે સંલેખના કરે ? તે સંલેખના ભેદાદિપૂર્વક કહે છે - Jain Education International • સૂત્ર - ૧૭૧૪ થી ૧૭૧૮ (૧૭૧૪) ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની હોય છે, મધ્યમ સંલેખના એક વર્ષની. જધન્ય સંલેખના છ માસની હોય. . (૧૭૧૫) પહેલાં ચાર વર્ષોમાં દુધ આદિ વિગઈઓનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષોમાં વિવિધ પ્રકારનો તપ કરે. (૧૭૧૬) પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. ભોજનના દિવસે આયંબિલ કરે. પછી અગિયારમાં વર્ષે પહેલાં છ મહિના સુધી કોઈપણ અતિ વિકૃષ્ટ તપ ન ફરે. (૧૭૧૭) પછીના છ માસ વિકૃષ્ટ તપ કરે. આ પૂરા વર્ષમાં પરિમિત આયંબિલ કરે. (૧૭૧૮) બારમાં વર્ષમાં નિરંતર આયંબિલ કરીને પછી મુનિ એક પક્ષ કે એક માસનું અનશન કરે. • વિવેચન - ૧૭૧૪ થઈ ૧૭૧૮ - પાંચ સૂત્રો કહ્યા. સંલેખના કાળ બાર વર્ષ જ ઉત્કૃષ્ટથી જાણવો. જૂનાધિક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678