Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 632
________________ ૧૭૯ અધ્ય. ૩૫ ભૂમિકા હું અધ્યયન - ૩૫ - “આણગારમાર્ગ ગતિ” છે ૦લેયા અધ્યયન - ૩૪ ની વ્યાખ્યા કરી. હવે અધ્યયન - ૩૫ મું આરંભીએ છીએ, તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં લેશ્યા કહી. તેને કહેવામાં આ આશય હતો - અશુભ અનુભાવ લેશ્યાના ત્યાગથી શુભાનુભાવ જ લેશ્યામાં રહેવું. અને તે ભિક્ષગુણ વ્યવસ્થિત જ સમ્ રીતે ધારણ કરી શકે છે પણ તેવું વ્યવસ્થાપન તેના પરિજ્ઞાનાથી થાય, તેથી તેનો અર્થ અહીં આરંભે છે, આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર પૂર્વવત્ યાવત્ નામનિક્ષેપમાં “આણગારમાર્ગમતિ” નામ છે. તેથી અણગાર, માર્ગ અને ગતિ એ ત્રણે પદોના નિક્ષેપાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૫૪૯ થી પ૫૧ + વિવેચન - “અનગાર'' શબ્દનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે જાણવો. તેમાં દ્રવ્ય આણગારના બે ભેદ છે. તેમાં નોઆગમથી દ્રવ્ય આણગાર ત્રણ ભેદે છે – તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય અણગારમાં નિલવ આદિ આવે છે. ભાવમાં સમ્યગ દૃષ્ટિ, અગારવાસથી વિનિમુક્ત લેવા. માર્ગ અને ગતિ બંને શબ્દો પૂર્વે ઉદિષ્ટ છે. ભાવ માર્ગમાં “સિદ્ધિગતિ”નો અધિકાર જાણવો. -૦- ત્રણે ગાથા સાટ છે. વિશેષ એ કે નિલવ આદિમાં ચાસ્ત્રિ પરિણામ વિના ગૃહના અભાવવાળા લેવા. આણગાર પણ દ્રવ્ય અને ભાવથી કહ્યા છે. ભાવમાં સમ્યગદર્શનવાન, અણગારવાસથી મુક્ત ચાસ્ત્રિી લીધા. તથા ભાવમાર્ગથી સમ્યગદર્શન જ્ઞાન ચાઅિ લક્ષણથી સિદ્ધિગતિ વડે અર્થાત્ ભાવ અણગાર વડે અધિકાર છે, નામ નિક્ષેપો કહ્યો. હવે સૂર કહે છે - • સૂત્ર - ૧૪૪૪ - જ્ઞાનીઓ દ્વારા ઉપદિષ્ટ માર્ગને મારી પાસેથી એકાચમન વડે સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષ દુઃખોનો અંત કરે છે. વિવેચન - ૧૪૪૪ - હું કહું છું તે સાંભળો, એકાગ્ર મનથી, અનાગત ચિત્તવાળા શિષ્યને આમ કહે છે. આ માર્ગ, યથાવસ્થિત વસ્તુ તત્ત્વથી ઉત્પન્ન કેવળ વાળા અરહંત વડે કહેવાયેલ છે. અથવા શ્રુતકેવલિ, ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. વળી આ માર્ગને આચરનાર સાધુ શારીરિશ્ક, માનસિક દુ:ખોનો અંત કરે છે, સર્વે કર્મોનું ઉમૂલન કરે છે. આના વડે આસેવ્ય - આસેવક સંબંધથી અણગાર સંબંધી માર્ગનું જે ફળ - મુક્તિ ગતિ છે, તે દશવિલ છે તે અણગાર માર્ગ અને તેની ગતિ અર્થથી કહી છે, તે સાંભળો. • સૂત્ર - ૧૪૪૫ થી ૧૪૬૪ - (૧૪૪) ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થયેલ મુનિ, આ સંગોને જાણે, જેમાં મનુષ્ય આસક્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678