Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 655
________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૫૬) વનસ્પતિ જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૫૬૬) વનસ્પતિની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ, જઘન્ય થકી અંતમુહૂર્ત છે. (૧૫૬૩) વનસ્પતિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતકાળ, જધન્યથી અંતર્મુહુર્ત છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરંતર વનસ્પતિના શરીરમાં જ ઉતપન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧પ૬૮) વનસ્પતિના શરીરને છોડીને ફરી વનસ્પતિ શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે. (૧૫૬૯) વર્ણ, ગંધ, રસ, સા અને સંસ્થાની અપેક્ષાથી વનસ્પતિકાયના હજારો ભેદ છે. • વિવેચન : ૧૫૫૬ થી ૧૫૬૯ - ચોદ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ પ્રમાણે - સાઘારણ એટલે અનંતજીવોનું પણ સમાન એક શરીર હોય તે ઉપલક્ષણથી તેમનો આહાર અને પાન ગ્રહણ પણ તેઓમાં સાધારણપણે હોય છે. • • પ્રત્યેક શરીરી જીવો અનેક પ્રકારે કહેલા છે. તે મુખ્ય બાર ભેદે કહે છે - (૧) વૃક્ષ • આશ્વ આદિ, (૨) ગુણ - વૃતાકી આદિ, (૩) ગુલ્મ -- નવ માલિકા આદિ, (૪) લતા - ચંપકલતા આદિ, (૫) વલ્લી - ત્રપુષી આદિ, (૬) ડ્રાણા - અર્જુનાદિ, (૭) લતાવલય - નાલિકેરી આદિ, (૮) પર્વજ - સંધિઓથી થયેલ અથવા પર્વગ તે શેરડી આદિ, (૯) કુહણ - ભૂમિ ફોડા આદિ, (૧૦) જલાહ - જળમાં ઉગતા પદ્મ આદિ, (૧૧) ઔષધિતૃણ - શાલિ આદિ, (૧૨) હરિતકાય - તંદુલેયક આદિ, તે જ કાયા - શરીર જેનું છે તે ચ શબ્દ આના જ સ્વગત અનેક ભેદનો સૂચક છે. સાધારણ શરીર અર્થાત પ્રત્યેક શરીરી નહીં તે. ચાલુથી હળદર સુધી પ્રાયઃ કંદ વિશેષ છે. તેનાં સાધારણ શરીરના લક્ષણો અહીં બતાવેલા છે. જેમકે - સમભાગને ભાંગતા ગ્રંથિપૂર્ણ ઘન થાય ઍવી સદેશભેદથી અનંતકાયને જાણવું ઇત્યાદિ - x x * x• પનકના જીવો પણ ઉક્ત વ્યાખ્યાથી સામાન્ય વનસ્પતિ જાણવા. - - ૪ - વનસ્પતિની કાય સ્થિતિ, ભવસ્થિતિ ઇત્યાદિ સ્ત્રાર્થમાં બતાવેલી જ છે. પણ નિગોદની સ્થિતિ જાજ કે ઉત્કૃષ્ટ બંનેથી અંતર્મુહૂર્ત કહેલી છે. અહીં પણ સાધારણ વનસ્પતિને આશ્રીને જ ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાળ કહેલી છે. વિશેષ અપેક્ષાથી પ્રત્યેક વનસ્પતિ તથા નિગોદમાં બાદર અને સૂક્ષ્મની અસંખ્યાતકાળ અવસ્થિતિ છે ઇત્યાદિ • x - = - - ૪ - પનકના જીવોનું અસંખ્યકાળ અંતર છે, તેમાંથી ઉદ્ધને પૃથ્વી આદિમાં ઉત્પત્તિ થાય છે. - x x હવે આ સૂત્રનો ઉપસંહાર અને ઉત્તર સૂત્રનો સંબંધ કહે છે - • સૂત્ર • ૧૫૦ - આ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારે સ્થાવર જીવોનું નિરૂપણ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678