Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 607
________________ ૧૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક અને લજ્જાનો ભાગી થાય છે. તે - તે દોષથી દુષ્ટત્વથી અપ્રીતિનો ભાજ્ય થાય છે. એ પ્રમાણે રાગદ્વેષથી આવા દુ:ખને પામે છે. બીજા પ્રકારથી તેના ઉદ્ધરણના ઉપાયને બતાવીને તેનાથી વિપરીત દોષ દશાવતા કહે છે - • સૂત્ર - ૧૩૫૦ - શરીરની સેવા આદિ સહાયની લિપ્સાથી કલસ શિષ્યની પણ ઇચ્છા ન કરે, દીક્ષિત થયા પછી અનુતમ થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઇંદ્રિય રૂપી ચોરોને વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારોને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૩૫૦ - - સ્વાધ્યાયાદિ ક્રિયામાં સમર્થ થાય તે ક૫ - યોગ્ય, તેવા શિષ્યાદિની પણ ઇચ્છા ન કરે. સહાયમાં લિપ્સ એટલે “મને આ શરીર સંબોધનાદિ સાહાસ્ય કરશે એવી અભિલાષાવાળો થઈને શિષ્યને ન ઇછે. વ્રત લઈને તપ વડે અથવા ઉતરકાળના અનુતાપને સ્વીકારીને અર્થાત “મેં કેમ આવું કષ્ટ સ્વીકાર્યું ?" એવી ચિત્તની બાધારૂપ કે બીજા ભવોમાં ભોગની સ્પૃહાવાળો થઈને તપના પ્રભાવનો ઉચ્છેદ ન કરે. આ લોકમાં આમપષધિ આદિ લબ્ધિ અને બીજા ભવમાં શક કે ચક્રવર્તી આદિ વિભૂતિ વ્રત અથવા તપથી થાય છે, છતાં તેનો નિષેધ શા માટે કરે છે ? આ પ્રકારથી અપરિમિત ભેદે વિકારાદિ દોષોને પ્રાપ્ત કરે છે. કોણ ? ધર્મ સર્વસ્વના અપહરણથી ઇંદ્રિયસોરો, ઉકત વિશેષણ વિશિષ્ટ કાપ્યા અને તપના પ્રભાવની વાંછાથી ઉક્ત દોષોને પામે છે. વળી ઇંદ્રિય વિષયોની ઉત્તરોત્તર અભિલાષાથી સંયમ પ્રત્યે ચિત્તની વિલુતિ આદિ દોષો પણ સંભવે છે. એ પ્રમાણે કહેતા આ આશય છે - અનુગ્રહ બુદ્ધિથી કલ્પને અને પુષ્ટ આલંબનમાં તપના પ્રભાવને વાંછતો પણ દોષ નથી. અથવા ઉક્ત રૂપ ક૫ની સહાયને ન ઇચ્છે કે મને ધર્મમાં સહાયક થશે તેમ પણ ન વિચારે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે. આના વડે રાગના હેતુના પરિહરણનો ઉપાય કહ્યો. આવા બીજા રાગ હેતુનો પણ પરિહાર કરવો. એ રીતે તેના ઉદ્ધરણનો ઉપાય અને તેમ ન કરવામાં દોષને કહો. હવે બીજા દોષની હેતુતાને જણાવીને ઉક્ત કથનનું સમર્થન કરે છે - • સૂત્ર - ૧૩૫૧ - વિકારો થયા પછી મોહરૂપી મહાસાગરમાં ડૂબાડવાને માટે વિષય સેવન અને હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી ચગી જીવ દુઃખથી મુકત થવાને માટે પ્રયત્ન કરે છે. • વિવેચન- ૧૩૫૧ - વિકારની આપત્તિ પછી, તેને વિષય સેવન અને પ્રાણિ હિંસાદિ પ્રયોજનો ઉત્પન્ન થાય છે. તે જીવને અતિદુસ્તર એવા સમુદ્ર જેવા મોહરૂપી સમુદ્રમાં ડૂબાડવાને માટે સમર્થ હોય છે. અર્થાત્ જે મોહસમુદ્રમાં ડૂબેલ એવા જીવો કહે છે તે ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678