SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક અને લજ્જાનો ભાગી થાય છે. તે - તે દોષથી દુષ્ટત્વથી અપ્રીતિનો ભાજ્ય થાય છે. એ પ્રમાણે રાગદ્વેષથી આવા દુ:ખને પામે છે. બીજા પ્રકારથી તેના ઉદ્ધરણના ઉપાયને બતાવીને તેનાથી વિપરીત દોષ દશાવતા કહે છે - • સૂત્ર - ૧૩૫૦ - શરીરની સેવા આદિ સહાયની લિપ્સાથી કલસ શિષ્યની પણ ઇચ્છા ન કરે, દીક્ષિત થયા પછી અનુતમ થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઇંદ્રિય રૂપી ચોરોને વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારોને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૩૫૦ - - સ્વાધ્યાયાદિ ક્રિયામાં સમર્થ થાય તે ક૫ - યોગ્ય, તેવા શિષ્યાદિની પણ ઇચ્છા ન કરે. સહાયમાં લિપ્સ એટલે “મને આ શરીર સંબોધનાદિ સાહાસ્ય કરશે એવી અભિલાષાવાળો થઈને શિષ્યને ન ઇછે. વ્રત લઈને તપ વડે અથવા ઉતરકાળના અનુતાપને સ્વીકારીને અર્થાત “મેં કેમ આવું કષ્ટ સ્વીકાર્યું ?" એવી ચિત્તની બાધારૂપ કે બીજા ભવોમાં ભોગની સ્પૃહાવાળો થઈને તપના પ્રભાવનો ઉચ્છેદ ન કરે. આ લોકમાં આમપષધિ આદિ લબ્ધિ અને બીજા ભવમાં શક કે ચક્રવર્તી આદિ વિભૂતિ વ્રત અથવા તપથી થાય છે, છતાં તેનો નિષેધ શા માટે કરે છે ? આ પ્રકારથી અપરિમિત ભેદે વિકારાદિ દોષોને પ્રાપ્ત કરે છે. કોણ ? ધર્મ સર્વસ્વના અપહરણથી ઇંદ્રિયસોરો, ઉકત વિશેષણ વિશિષ્ટ કાપ્યા અને તપના પ્રભાવની વાંછાથી ઉક્ત દોષોને પામે છે. વળી ઇંદ્રિય વિષયોની ઉત્તરોત્તર અભિલાષાથી સંયમ પ્રત્યે ચિત્તની વિલુતિ આદિ દોષો પણ સંભવે છે. એ પ્રમાણે કહેતા આ આશય છે - અનુગ્રહ બુદ્ધિથી કલ્પને અને પુષ્ટ આલંબનમાં તપના પ્રભાવને વાંછતો પણ દોષ નથી. અથવા ઉક્ત રૂપ ક૫ની સહાયને ન ઇચ્છે કે મને ધર્મમાં સહાયક થશે તેમ પણ ન વિચારે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે. આના વડે રાગના હેતુના પરિહરણનો ઉપાય કહ્યો. આવા બીજા રાગ હેતુનો પણ પરિહાર કરવો. એ રીતે તેના ઉદ્ધરણનો ઉપાય અને તેમ ન કરવામાં દોષને કહો. હવે બીજા દોષની હેતુતાને જણાવીને ઉક્ત કથનનું સમર્થન કરે છે - • સૂત્ર - ૧૩૫૧ - વિકારો થયા પછી મોહરૂપી મહાસાગરમાં ડૂબાડવાને માટે વિષય સેવન અને હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી ચગી જીવ દુઃખથી મુકત થવાને માટે પ્રયત્ન કરે છે. • વિવેચન- ૧૩૫૧ - વિકારની આપત્તિ પછી, તેને વિષય સેવન અને પ્રાણિ હિંસાદિ પ્રયોજનો ઉત્પન્ન થાય છે. તે જીવને અતિદુસ્તર એવા સમુદ્ર જેવા મોહરૂપી સમુદ્રમાં ડૂબાડવાને માટે સમર્થ હોય છે. અર્થાત્ જે મોહસમુદ્રમાં ડૂબેલ એવા જીવો કહે છે તે ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy