Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કઠિન વિષયને સમજાવવા માટે ચારે છેદ સૂત્ર પર નિર્યુક્તિની રચના કરી છે. તે ઉપરાંત તેના પર ચૂર્ણિની રચના પણ થઈ છે. તથા બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પર વિસ્તૃત ભાષ્યની રચના પણ થઈ છે. બૃહત્કલ્પ પર શ્રી સંઘદાસ ગણિએ લઘુ ભાષ્યની રચના કરી છે.
ભાષ્યકારોએ પોતાની રચનામાં સૂત્રકારનો આશય સમજાવવા માટે તેની પૃષ્ઠ ભૂમિકારૂપે સંઘીય પરંપરા તથા તે તે વિષયોને અનુરૂપ પ્રસિદ્ધ દષ્ટાંતો આદિ દ્વારા વિસ્તૃત વર્ણન કર્યું છે. જે જૈન ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિના અધ્યયન માટે ઉપયોગી થાય છે.
શ્રી બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પર આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. કૃત સંસ્કૃત ટીકા છે. તેમાં પ્રાચીનનિર્યુક્તિ, ચૂર્ણિ અને ભાષ્ય ગ્રંથોના આધારે વિષય સમજાવ્યો છે. આચાર્ય શ્રી આત્મારામજી મ. સા. એ દશાશ્રુતસ્કંધ સૂત્ર પર સંસ્કૃત ટીકા લખી છે અને શ્રી અમોલક ઋષિજી મ.સા.એ સર્વ પ્રથમ હિન્દી અનુવાદ કર્યો છે. તે ઉપરાંત ઉપાધ્યાય શ્રી કનૈયાલાલજી મ.સા.એ તિળિ છેવસુત્તાઈt માં ભાવાર્થ અને વિસ્તૃત હિન્દી વિવેચન આપ્યું છે. પ્રવર્તક શ્રી અમરમુનિ મ.સા. એ પૂર્વ પ્રકાશનના આધારે આ આગમને સચિત્ર પ્રકાશિત કર્યું છે.
આ રીતે પૂર્વ પ્રકાશિત આગમ સાહિત્યના આધારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર થયો છે. તેમાં સૂત્ર, ભાવાર્થ અને આવશ્યકતા અનુસાર વિવેચન છે. આભાર દર્શન :- પ્રાતઃસ્મરણીય સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુપ્રાણ, ભક્તજનોના આતમપ્રાણની જન્મશતાબ્દી ચીરસ્મરણીય બની રહે તે માટે સરલ સુબોધ ગુજરાતી ભાષામાં આગમ પ્રકાશન કરવાની મારા વડિલ ગુરુભગિની ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ. ની અંતર પ્રેરણા અને અમારા મુક્ત-લીલમ ગુણી સહિત શિષ્યા વૃંદનો અનેરો ઉત્સાહ, સમ્યક પુરુષાર્થ અને તેનાથી પણ સવિશેષ અંતરીક્ષથી સતત અને સતત અસ્મલિત વહેતી પૂજ્યપાદ ગુરુદેવોની કૃપાધારાએ આ આગમ પ્રકાશનનું અતિ ઉત્તમોત્તમ, વિરાટ સત્કાર્ય સમાપનના આરે પહોંચ્યું છે. તેમાં ત્રણ છેદ સૂત્રોનું (દશાશ્રુત સ્કંધ, બૃહકલ્પ અને વ્યવહાર સૂત્ર) પ્રકાશન થઈ રહ્યું છે. તે સમયે આસન્ન ઉપકારી ત્રિલોકીનાથ ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી, સૂત્ર સંકલન કરનાર સુધર્માસ્વામી, આગમ લિપિ બદ્ધ કરનાર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણને અંતરમાં અવધારી