Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૮
.
૩૪૩ |
શબ્દનો પ્રયોગ કર્યો છે અર્થાત્ તે ચતુર્થાશ ઉણોદરી પણ કહેવાય છે. (૫) કિચિત ઉણોદરી - ૩૧ કવલ પ્રમાણ આહાર કરવાથી એક કવલની જ ઉણોદરી થાય છે. ૩૨ કવલ પ્રમાણ પર્યાપ્ત આહારની અપેક્ષાએ તે અલ્પ હોવાથી કિંચિત ઉણોદરી કહેવાય છે.
સુત્રના અંતિમ અંશથી એ સ્પષ્ટ કર્યું છે કે આ પાંચ ભેદમાંથી કોઈપણ પ્રકારની ઉણોદરી કરનાર સાધુ પ્રકામભોજી (પેટ ભરીને ખાનારા) હોતા નથી.
૩ર કવલ પ્રમાણ પૂર્ણ આહાર કરનાર પર્યાપ્ત ભોજી કહેવાય છે. ૩ર કવલના આહારનું વિધાન આગમોક્ત એકવાર ભોજન કરવાના ઉત્સર્ગિક વિધાનની અપેક્ષાએ જ છે, તેમ સમજવું. સાધુને ઇન્દ્રિયસંયમ અને બ્રહ્મચર્યસમાધિને માટે હંમેશાં ઉણોદરી તપ કરવું આવશ્યક છે.
રંવડી - કકડીના ઈંડા જેટલો આહાર. કવલનું પ્રમાણ બતાવવા માટે પ્રતોમાં વજુડી અંડા શબ્દપ્રયોગ ઉપલબ્ધ છે. ખરેખર પ્રત્યેક વ્યક્તિના આહારનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે; તેનું પરિમાણ કોઈપણ પદાર્થથી નિશ્ચિત કરવું યોગ્ય ન ગણાય. તેમ છતાં ઉપલબ્ધ આ શબ્દના વ્યાખ્યાકારોએ વૈકલ્પિક અનેક અર્થ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યથા
(૧) નિનાદીરશ સ યો ત્રિશત્તનો ભા ત શુટી પ્રમાણે = પોતાના પ્રતિદિન ગ્રહણ કરાતાં આહારના બત્રીસમા ભાગને એક કવલ કહે છે. (૨) સિતા રી ટી શરીરમત્યર્થા તથા શરીરપાયા: સુશુટયા અમિવ બંડ-મુહૂ= અશુચિમય આ શરીર જ કુકુટી છે. તે શરીરરૂપ કુકુટીના અવયવરૂપ મુખને કુકુટી અંડક કહે છે. (૩) વાવાનળમાત્ર
વનેન મુe yક્ષણમાન મુર્ણ વિજૂd મવતિ તસ્થત્ત જીવટી સંવડ પ્રમાણમ્ = જેટલો આહારપિંડ મુખમાં મૂકતાં મુખ વિકૃત ન થાય તેટલા આહારપિંડને એક કવલ કહે છે. તે કુફ્ફટી અંડક પ્રમાણ આહાર કહેવામાં આવે છે. (૪) યમન્યઃ વિરુત્વઃ ૨૮ અંડોપને વત્તે = કકડીના ઈંડા જેવડો એક કવલ હોય; આ પણ એક અર્થવિકલ્પ છે.
ઉપરોક્ત વ્યાખ્યાઓને જોતા જણાય છે કે જડ અંડા શબ્દ ન હોય તો પણ સૂત્રનો આશય સ્પષ્ટ સમજાય જાય તેમ છે, તેથી ભ્રમોત્પાદક આ શબ્દને કૌંસમાં અને ઇટાલિયન ટાઇપમાં રાખ્યો છે.
>
છે ઉદ્દેશક-૮ સંપૂર્ણ