Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 208
________________ ૩૪ ] શ્રીવ્યવહાર સૂત્ર પ્રતિમાના પ્રારંભમાં એક દત્તી આહાર અને એક દત્તી પાણી ગ્રહણ થાય છે. ત્યારપછી પ્રતિદિન એક-એક દત્તી વધતાં મધ્યમાં પંદર દત્તી આહાર અને પંદર દત્તી પાણી તથા ત્યારપછી પુનઃ પ્રતિદિન એક-એક દત્તી ઘટતા અંતમાં એક દત્તી આહાર અને એક દત્તી પાણી ગ્રહણ કરાય અને અંતે ઉપવાસ કરવામાં આવે છે, તેને યવમધ્યચંદ્ર પ્રતિમા કહેવાય છે. વજમધ્યચંદ્ર પ્રતિમા :- વજરત્ન અથવા ડમરુના કિનારાનો ભાગ વિસ્તૃત, મધ્યભાગ સંકુચિત અને બીજા કિનારાનો ભાગ વિસ્તૃત હોય છે તે રીતે જે પ્રતિમાના પ્રારંભમાં પંદર દત્તિ, મધ્યમાં એક દત્તિ અને અંતમાં પંદર દત્તી આહાર-પાણીને ગ્રહણ થાય છે અને અંતે ઉપવાસ કરવામાં આવે છે, તે વજમધ્યચંદ્રપ્રતિમા કહેવાય છે. આરાધકની યોગ્યતા - સુત્રકારે આરાધકની યોગ્યતા વિષયક કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ ભાષ્યમાં તેનું વિસ્તૃત વર્ણન છે. આ બંને પ્રતિમાઓ વિશિષ્ટ સંઘયણવાળા, વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા અર્થાત્ દીક્ષા સ્થવિર પૂર્વધર મુનિઓ જ ધારણ કરી શકે છે. કોઈપણ પ્રકારના અપવાદના સેવન વિના સર્વ નિયમોનું એક માસ સુધી પાલન કરવાની ક્ષમતા હોય, તેવા સમર્થ સંતો જ તેની આરાધના માટે યોગ્ય છે. કાલ મર્યાદા:- બંને પ્રતિમાની કાલ મર્યાદા એક માસની છે. પ્રતિમાનો પ્રારંભ - યવમધ્ય ચંદ્ર પ્રતિમાનો પ્રારંભ શુક્લ પક્ષની પ્રતિપદા-એકમથી થાય છે, ત્યારે એક દત્તી આહાર અને એક દત્તી પાણી ગ્રહણ થાય છે. ત્યારપછી ચંદ્રની કળાની જેમ ક્રમશઃ વધતા પૂનમના દિવસે પંદર દત્તી આહાર-પાણી ગ્રહણ થાય, ત્યારપછી કૃષ્ણપક્ષમાં ક્રમશઃ ઘટતા ચૌદસના દિવસે એક દત્તી આહાર-પાણી ગ્રહણ થાય અને અમાવાસ્યાના દિવસે ઉપવાસ થાય અને પ્રતિમા પૂર્ણ થાય છે. વજમધ્ય ચંદ્ર પ્રતિમાનો પ્રારંભ કષ્ણપક્ષની પ્રતિપદા–એકમથી થાય છે ત્યારે પંદરદત્તી આહારપાણી ગ્રહણ થાય, ત્યારપછી ચંદ્રની કળાની જેમ ક્રમશઃ ઘટતા અમાવાસ્યાના દિવસે એક દત્તી આહારપાણી ગ્રહણ થાય છે. ત્યારપછી શુક્લપક્ષમાં ક્રમશઃ વધતા ચૌદસના દિવસે પંદર દત્તી આહાર-પાણી ગ્રહણ થાય છે અને પૂનમના દિવસે ઉપવાસ થાય અને પ્રતિમા પૂર્ણ થાય છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે બંને પ્રતિમાઓમાં શુક્લ પક્ષમાં દત્તીનું પ્રમાણ વધે છે અને કૃષ્ણ પક્ષમાં દત્તિનું પ્રમાણ ઘટે છે. આ પ્રતિમાઓને ધારણ કરનાર સાધુને નિમ્નલિખિત નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. (૧) વોલપ-જિયારે – શારીરિક શુશ્રુષા તથા મમત્વનો ત્યાગ કરવો અર્થાત્ નિયમિત પરિમિત આહાર સિવાય ઔષધ-ભેષજના સેવનનો અને બધા પ્રકારના શરીર પરિકર્મનો ત્યાગ કરવો. (૨) દેવ, મનુષ્ય અથવા તિર્યંચ દ્વારા કરાયેલા ઉપસર્ગનો સામનો ન કરવો કે તેનાથી બચવાનો પણ પ્રયત્ન ન કરવો. (૩) કોઈ મારકૂટ કરે તો તેના પર દ્વેષ ન કરવો અને કોઈ આદર સત્કાર કરે તો પ્રસન્ન ન થવું પરંતુ સમભાવમાં લીન રહેવું. (૪) સવ્વહિંદુપય...વિડિયૉ:- જે રસ્તામાં ઘરની બહાર પશુ અથવા પક્ષીઓ ચરતા કે ચણતા હોય, તે પોત-પોતાનો ચારો ચરી લે કે દાણા ચણી લે ત્યાર પછી પડિમાધારીએ આહાર લેવા માટે ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. (૫)ગણાય - પ્રતિમાધારી સાધુને પધારવાની સૂચના કે જાણકારી ન હોય અથવા કોઈ પ્રતિક્ષા ન કરતા હોય તેવા અજ્ઞાત ઘરોમાંથી આહાર ગ્રહણ કરવો. (૬) ૩૪– વિગયરહિત રુક્ષ આહાર ગ્રહણ કરવો. (૭) સુવઇડં- શુદ્ધોપહત- ચણા, મમરા, ખાખરાદિ.

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234