Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 183
________________ ઉદ્દેશક-૮ , ૩૩૯ | પરંતુ તેના માલિક ત્યાં હાજર ન હોય તો તે સ્થાનમાં આજ્ઞા લીધા પહેલાં જ સાધુ રહે છે અને ત્યારપછી માલિકની આજ્ઞા ગ્રહણ કરે છે. આ અપવાદ માર્ગ છે. સામાન્ય રીતે સાધુ આજ્ઞા ગ્રહણ કર્યા પછી જ નિવાસ કરે છે, પરંતુ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં જ આ અપવાદ માર્ગનો પ્રયોગ થાય છે. ક્યારેક આજ્ઞા વિના રહેવાથી ગૃહસ્થ સાધુ પર ગુસ્સો કરે, દુર્વ્યવહાર કરે ત્યારે નાના સંતો ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં હોય, તો વડિલ સંત નાના સાધુને ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં રોકે અને અનુકૂળ વચનોથી માલિકને પ્રસન્ન કરે છે. આ પ્રકારના સવ્યવહારથી જ ગૃહસ્થનો સદ્ભાવ જળ વાઈ રહે છે અને તે ફરી ફરી સાધુને સ્થાન કે શય્યા-સંસ્તારક આપવા માટે તૈયાર થાય છે. સંક્ષેપમાં સાધુના ગૃહસ્થ સાથેના વ્યવહારમાં ગૃહસ્થની ધર્મ શ્રદ્ધા કે સંતો પ્રત્યેના ભક્તિ ભાવમાં વૃદ્ધિ થાય તેવું વર્તન સાધુએ કરવું જોઈએ. માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા - |१३ णिग्गंथस्स णं गाहावइकुल पिंडवाय पडियाए अणुपविट्ठस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भटे सिया । तं च केई साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाइमे भे अज्जो ! किं परिणाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाए यव्वे सिया । से य वएज्जा- णो परिण्णाए, तं णो अप्पणा परिभुंजेज्जा णो अण्णमण्णस्स दावए । एगते बहुफासुए थंडिले परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી જાય, તે ઉપકરણને કોઈ સાધર્મિક સાધુ જુએ, તો માલિક સાધુના આગાર સહિત અર્થાત્ જેનું આ ઉપકરણ હશે તેને આપી દઈશ, તેવી ભાવનાથી ઉપકરણને ગ્રહણ કરે અને અન્ય સાધુને જુએ (મળ) ત્યારે તેને આ રીતે કહે- હે આર્ય! શું આ ઉપકરણને તમે ઓળખો છો? અર્થાત્ આ ઉપકરણ આપનું છે? તે કહે, હા ઓળખું છું અર્થાતુ આ મારું છે. તો એ ઉપકરણ તેને આપી દે. જો તે કહે- હું ઓળખતો નથી, તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે અને અન્ય કોઈને પણ ન આપે, પરંતુ એકાંત પ્રાસુક નિર્દોષ ભૂમિમાં તેને પરઠી દે. १४ णिग्गंथस्स णं बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खंतस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भटे सिया । तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाइमे भे अज्जो ! किं परिणाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाएयव्वे सिया । से य वएज्जा- णो परिण्णाए, तं णो अप्पणा परिभुंज्जेज्जा णो अण्णमण्णस्स दावए एगते बहुफासुए थंडिले परिठ्ठवेयव्वे सिया।। ભાવાર્થ:- સાધુ સ્વાધ્યાય ભૂમિમાં અથવા સ્પંડિલ ભૂમિમાં જાય, ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234