________________
ઉદ્દેશક-૮
,
૩૩૯ |
પરંતુ તેના માલિક ત્યાં હાજર ન હોય તો તે સ્થાનમાં આજ્ઞા લીધા પહેલાં જ સાધુ રહે છે અને ત્યારપછી માલિકની આજ્ઞા ગ્રહણ કરે છે. આ અપવાદ માર્ગ છે. સામાન્ય રીતે સાધુ આજ્ઞા ગ્રહણ કર્યા પછી જ નિવાસ કરે છે, પરંતુ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં જ આ અપવાદ માર્ગનો પ્રયોગ થાય છે.
ક્યારેક આજ્ઞા વિના રહેવાથી ગૃહસ્થ સાધુ પર ગુસ્સો કરે, દુર્વ્યવહાર કરે ત્યારે નાના સંતો ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં હોય, તો વડિલ સંત નાના સાધુને ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં રોકે અને અનુકૂળ વચનોથી માલિકને પ્રસન્ન કરે છે. આ પ્રકારના સવ્યવહારથી જ ગૃહસ્થનો સદ્ભાવ જળ વાઈ રહે છે અને તે ફરી ફરી સાધુને સ્થાન કે શય્યા-સંસ્તારક આપવા માટે તૈયાર થાય છે.
સંક્ષેપમાં સાધુના ગૃહસ્થ સાથેના વ્યવહારમાં ગૃહસ્થની ધર્મ શ્રદ્ધા કે સંતો પ્રત્યેના ભક્તિ ભાવમાં વૃદ્ધિ થાય તેવું વર્તન સાધુએ કરવું જોઈએ. માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા - |१३ णिग्गंथस्स णं गाहावइकुल पिंडवाय पडियाए अणुपविट्ठस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भटे सिया । तं च केई साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाइमे भे अज्जो ! किं परिणाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाए यव्वे सिया ।
से य वएज्जा- णो परिण्णाए, तं णो अप्पणा परिभुंजेज्जा णो अण्णमण्णस्स दावए । एगते बहुफासुए थंडिले परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી જાય, તે ઉપકરણને કોઈ સાધર્મિક સાધુ જુએ, તો માલિક સાધુના આગાર સહિત અર્થાત્ જેનું આ ઉપકરણ હશે તેને આપી દઈશ, તેવી ભાવનાથી ઉપકરણને ગ્રહણ કરે અને અન્ય સાધુને જુએ (મળ) ત્યારે તેને આ રીતે કહે- હે આર્ય! શું આ ઉપકરણને તમે ઓળખો છો? અર્થાત્ આ ઉપકરણ આપનું છે? તે કહે, હા ઓળખું છું અર્થાતુ આ મારું છે. તો એ ઉપકરણ તેને આપી દે. જો તે કહે- હું ઓળખતો નથી, તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે અને અન્ય કોઈને પણ ન આપે, પરંતુ એકાંત પ્રાસુક નિર્દોષ ભૂમિમાં તેને પરઠી દે. १४ णिग्गंथस्स णं बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खंतस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भटे सिया । तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाइमे भे अज्जो ! किं परिणाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाएयव्वे सिया । से य वएज्जा- णो परिण्णाए, तं णो अप्पणा परिभुंज्जेज्जा णो अण्णमण्णस्स दावए एगते बहुफासुए थंडिले परिठ्ठवेयव्वे सिया।। ભાવાર્થ:- સાધુ સ્વાધ્યાય ભૂમિમાં અથવા સ્પંડિલ ભૂમિમાં જાય, ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી