Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-
..
[ ૩૧૫ ]
(૧) સામાન્ય રીતે સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ કરતા સમયે ઉપાશ્રયની બહાર જ પગનું પ્રમાર્જન કરે છે પરંતુ આચાર્ય આદિ ઉપાશ્રયની અંદર પણ પગનું પ્રમાર્જન કરી શુદ્ધિ કરી શકે છે. (૨) ગ્રામાદિની બહાર સ્થડિલ ભૂમિ હોય અને શારીરિક અનુકૂળતા હોય, તો સાધુ ઉપાશ્રયમાં મળ ત્યાગ કરતા નથી પરંતુ આચાર્ય ઉપાશ્રયથી સંલગ્ન સ્થડિલ ભૂમિમાં મળત્યાગ કરી શકે છે. (૩) સહવર્તી સાધુઓમાં ગોચરી આદિ અનેક સામૂહિક કાર્ય અથવા વસ્ત્ર પ્રક્ષાલન આદિ સેવાના કાર્ય પરસ્પર કરવા, તે કર્તવ્ય છે પરંતુ આચાર્ય પોતાની ઇચ્છા પ્રમાણે અન્ય સાધુઓની સેવા આદિ કરે છે. (૪-૫) સામાન્ય રીતે સાધુ રત્નાધિક ગુરુની પાસે અથવા તેના દષ્ટિગત સ્થાનમાં જ સદા શયન, આસન, ગ્રહણ કરે છે પરંતુ આચાર્ય કે ઉપાધ્યાય વિશિષ્ટ સાધના આદિ કોઈપણ પ્રયોજનથી ઉપાશ્રયના કોઈ એકાંત ભાગમાં અથવા ઉપાશ્રયની બહાર એકલા એક કે બે દિવસ રહી શકે છે. ઉપકરણાતિશય - આચાર્ય અને ઉપાધ્યાયના વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો અન્ય સાધુઓથી વર્ણ અને મૂલ્યની અપેક્ષાએ શ્રેષ્ઠતમ હોય છે અને પરિમાણની અપેક્ષાએ પરિપૂર્ણ હોય છે. ભક્તપાનાતિશય - સામાન્ય રીતે સાધુઓ ગરિષ્ટ પદાર્થોનો આહાર કરતા નથી પરંતુ આચાર્યાદિને ગચ્છની જવાબદારીનું વહન કરવાનું હોવાથી ક્યારેક આવશ્યકતાનુસાર ગરિષ્ટ આહાર કરી શકે છે.
સૂત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, બન્નેના પાંચ પાંચ અતિશય કહ્યા છે અને ગણાવચ્છેદકના અંતિમ બે અતિશય બીજા સત્રમાં કહ્યા છે. પ્રથમ ત્રણ અતિશય ગણાવચ્છેદકને માટે આવશ્યક નથી, કારણ કે ગણાવચ્છેદક–પદ ઋદ્ધિ સંપન્ન પદ નથી પણ કાર્યવાહક પદ છે, તેથી તેના માટે અંતિમ બે અતિશય જ પર્યાપ્ત છે. અગીતાર્થ સાધુઓને સાથે રહેવાનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ -
४ से गामंसि वा जाव रायहाणिसि वा एगवगडाए एगदुवारए एगणिक्खमणपवेसाए (उवस्सए) णो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए ।
अत्थियाई त्थ केइ आयारपकप्पधरे, णत्थि केइ छए वा परिहारे वा । णत्थियाइं त्थ केइ आयारपकप्पघरे से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં એક પ્રાકારવાળા, એક ધારવાળા અને એક નિષ્ક્રમણ-પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અકૃતકૃત-અલ્પ શ્રુતવાળા, અગીતાર્થ સાધુઓને એક સાથે રહેવું કલ્પતું નથી.
તે સાધુઓ કોઈ આચારપ્રકલ્પધર હોય અર્થાત્ તે અગીતાર્થ સાધુઓ ગીતાર્થ સાધુની સાથે એક પ્રાકારાદિવાળા સ્થાનમાં રહે તો અલ્પશ્રુતવાળા સાધુઓ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી. જો તે સાધુઓમાં કોઈ આચાર પ્રકલ્પધર ન હોય અને તે અગીતાર્થ સાધુઓ એક પ્રાકારાદિવાળ
સ્થાનમાં રહે, તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ५ से गामंसि वा जाव रायहाणिसि वा अभिणिव्वगडाए अभिणिदुवाराए अभिणिक्खमण-पवेसणए (उवस्सए) णो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए।