Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 159
________________ .૫૦. • • • • 0 0 , , , , , , , , , , , , , , , , , ...... અધ્યાત્મમત પરીક્ષા ... ગાથા - ૧૦૧ આયુષ્યકર્મના ઉદયરૂપ ભવ અને જીવપરિણામરૂપ ભાવની સાક્ષાત્ હેતુતા છે. તેનું તાત્પર્ય એ છે કે આયુષ્યકર્મના ઉદયથી ભવોની પ્રાપ્તિ જીવને થાય છે, અને ત્યાં જ મિથ્યાત્વનો ઉદય જીવને થાય છે. તેથી કર્મથી અભિન્ન એવા જીવમાં ભવ અને મિથ્યાત્વભાવ બંને વર્તે છે. તેમાં ભવ તે મિથ્યાત્વ પ્રતિ કારણ છે અને મિથ્યાત્વ કાર્ય છે; પરંતુ તે બેની એકાધિકરણતા સાક્ષાત્ છે, પરંપરાસંબંધથી નથી. તે જ રીતે કુસમયદેશનાદિક ભાવ યદ્યપિ કર્તુત્વસંબંધથી ઉપદેશકમાં છે, તો પણ પરિણતિસંબંધથી શ્રોતામાં છે; અને તે પરિણતિસંબંધરૂપ ભાવ જે જીવદ્રવ્યમાં છે, ત્યાં જ મિથ્યાત્વનો ઉદય થાય છે. તેથી જીવપરિણામરૂપ કુસમયદેશનાદિરૂપ ભાવ અને મિથ્યાત્વની વચ્ચે કાર્યકારણભાવ સાક્ષાત્ છે. શાતા-અશાતાના ઉદયમાં માલાચંદનાદિ દ્રવ્યની શરીરનિષ્ઠપણાથી હેતુતા છે. અર્થાત્ માલાચંદનાદિદ્રવ્ય શરીરનિષ્ઠ છે, અને શરીરથી અભિન્ન એવા આત્મામાં શાતા-અશાતાનો ઉદય થાય છે; તેથી કાર્યકારણભાવા એકાધિકરણ છે. ઇત્યાદિ અનુભવ પ્રમાણે સર્વત્ર ઊહ કરવો. અહીં કુતીર્થિકાદિમાં “આદિપદથી ક્ષેત્ર-કાલનું ગ્રહણ કરવું, મિથ્યાત્વાદિમાં “આદિ'પદથી અજ્ઞાનઅવિરતિ આદિનું ગ્રહણ કરવું, કુતીર્થિકાદિના ઉપલક્ષણથી તીર્થકરઆદિનું ગ્રહણ કરવું અને મિથ્યાત્વના ઉદયાદિના ઉપલક્ષણથી ક્ષય, ક્ષયોપશમ, ઉપશમનું ગ્રહણ કરવું અને તે વખતે કાર્ય-કારણને એકાધિકરણ બનાવવા સ્વપ્રયોજ્ય અજ્ઞાનને બદલે સ્વપ્રયોજય જ્ઞાન દ્વારા આત્મનિષ્ઠતયા હેતુતા જાણવી. ટીકાર્ય - “áવ' - અહીંયાં જ=દ્રવ્યાદિ પાંચને આશ્રયીને કર્મનાં ઉદયાદિ થાય છે તેમાં દાંત આપતાં શાસ્ત્રકારો કહે છે પુછપુuT' જેમ પુણ્યપાપજનિત પણ સુખદુઃખાદિ બાહ્ય બળના આધાનથી ઉદયાદિ આપે છે અર્થાત બાહ્ય દ્રવ્યાદિને આશ્રયીને જ ઉદયાદિ પામે છે, તેમ પુણ્ય-પાપ કર્મ પણ બાહ્ય દ્રવ્યાદિને આશ્રયીને જ ઉદયાદિ પામે છે અને તેનાથી સુખદુઃખાદિ થાય છે. વિશેષાવશ્યક ગાથા-૨૦૫૦નું તાત્પર્ય ટીકામાં બતાવતાં કહે છે નામ' જો પુણ્ય પાપજન્ય એવા પણ શાતા-અશાતાદિના ઉદયાદિમાં દ્રવ્યાદિની અપેક્ષા અનુભવિકી છે, તો તે બંનેના પણ=પુણ્ય-પાપના પણ, કાર્ય એવા ઉદયાદિના ઉત્પાદન માટે તેની દ્રવ્યાદિની, અપેક્ષા આવશ્યક છે. કેમ કે કાર્યના કારણપણાથી અપેક્ષિતની ઈતર કારણ સાથે સહકારીપણાથી અપેક્ષા છે એ પરમાર્થ છે. ભાવાર્થ - કંટકાદિ દ્રવ્યની અપેક્ષાથી અશાતાનો ઉદય થાય છે અને ચંદનાદિ દ્રવ્યની અપેક્ષાથી શાતાનો ઉદય થાય છે એ જાતનો સર્વજનને અનુભવ છે. અને તે શાતા-અશાતાનું અંતરંગ કારણ પુણ્ય-પાપ છે. તેથી અંતરંગકારણરૂપ પુણ્ય-પાપથી જન્ય શાતા-અશાતારૂપ ફળમાં કંટક-સર્પ, માલા-ચંદનાદિ દ્રવ્યની અપેક્ષા રહે છે, તો પુણ્યપાપને પણ=પુણ્યપાપકર્મના ઉદયને પણ, પોતાનું કાર્ય જે સુખ-દુઃખ પેદા કરવું, તેમાં કંટક-સર્પ, માલા-ચંદનાદિ દ્રવ્યની અપેક્ષા રહે છે તે અર્થથી સિદ્ધ છે. અને આ જ વાતને ‘ાર્થીમપેક્ષત’ હેતુ. દ્વારા બતાવે છે કે, કાર્યને સહકારી કારણ તરીકે જેની અપેક્ષા હોય, તેની તે જ કાર્યના (ઈતર) કારણને સહકારી તરીકે અપેક્ષા હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ રીતે છે – સુખદુ:ખાદિરૂપ કાર્યને ઉત્પન્ન થવામાં ચંદન-કંટકાદિ દ્રવ્યની કારણ તરીકે અપેક્ષા છે, તો સુખદુઃખાદિના કારણભૂત પુણ્ય-પાપને પણ ઉદયમાં આવી તે કાર્ય કરવા

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246