Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 177
________________ .... • • • • પર. અધ્યાત્મમત પરીક્ષા ગાથા -૧૦૧, 'ઉત્થાન -પૂર્વમાં જળના શીત સ્વભાવના બોધમાં પણ કાર્ય-કારણભાવના બોધની આવશ્યકતા સ્થાપી તેથી એ સિદ્ધ થયું કે, કાર્ય-કારણભાવના પ્રહણથી જ તથાસ્વભાવનું ગ્રહણ થઇ શકે છે. તેના નિરાકરણરૂપે અથથી પૂર્વપક્ષી કહે છે - ટીકાર્ય - મથ' કાર્ય-કારણભાવના ગ્રાહકથી જ તથાસ્વભાવનો ગ્રહ હો, પરંતુ વચમાં કાર્ય-કારણભાવના ગ્રહની શું જરૂર છે? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર તેનો ઉત્તર આપતાં કહે છે- તારી વાત સાચી છે(પરંતુ) નિયતપૂર્વઅવધિમત્ત્વ સ્વભાવનું જ કારણપણું છે, એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર કરેલ છે. ભાવાર્થ:- માથી પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, દંડને જોવાથી દંડમાત્રનું જ્ઞાન થાય છે; પરંતુ જેને ઘટની સાથે નિયતપૂર્વઅવધિમત્ત્વસ્વભાવરૂપે દંડનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન પોતે જ કાર્ય-કારણભાવનું ગ્રાહક છે; અને તેનાથી દંડ અને ઘટની વચમાં કાર્ય-કારણભાવનું ગ્રહણ થાય છે, અને તે કાર્ય-કારણભાવના પ્રવર્ણથી જ દંડમાં ઘટજન–સ્વભાવનું ગ્રહણ થઈ જાય છે; એમ તમે માનો છો. પરંતુ તે ત્રણ સ્થાનો માનવાને બદલે દંડમાં નિયતપૂર્વઅવધિમત્ત્વસ્વભાવરૂપ કાર્ય-કારણભાવના ગ્રાહકથી જ દંડમાં ઘટજનકત્વ સ્વભાવનું ગ્રહણ થઇ જાય છે, આ રીતે સ્વીકારી લેવાથી, કાર્ય-કારણભાવના ગ્રહણ વગર પણ દંડમાં સ્વભાવવૈલક્ષણ્યનું જ્ઞાન થઈ જશે. અર્થાત જલ આદિમાં ઘટજન–સ્વભાવ નથી અને દંડમાં ઘટજનક–સ્વભાવ છે એ રૂપ સ્વભાવવૈલક્ષણનો બોધ દંડમાં થઈ જશે. પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે, એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, આ રીતે પૂર્વપક્ષી ત્રણ સ્થાનોને બતાવીને કાર્ય-કારણભાવના બોધ વગર તથાસ્વભાવના બોધને સ્થાપન કરે છે તે તેની વાત સાચી છે, પરંતુ વસ્તુતઃ કાર્ય-કારણભાવના ગ્રાહકથી જ તથાસ્વભાવનું ગ્રહણ પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું છે તે આ રીતેકાર્ય-કારણભાવના ગ્રાહક તરીતે દંડમાં રહેલ ઘટનિયતપૂર્વાવધિમત્ત્વસ્વભાવને તે ગ્રહણ કરે છે, અને તે કારણરૂપે જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, દંડમાં ઘટની કારણતાના જ્ઞાનથી જ જલાદિ કરતાં ઘટના વિલક્ષણ સ્વભાવને તે ગ્રહણ કરે છે. તેથી એ જ સિદ્ધ થાય છે કે, કાર્ય-કારણભાવના જ્ઞાનથી જ તથાસ્વભાવનો બોધ થાય છે, અને તેમ સ્વીકારવાથી એ પ્રાપ્ત થાય કે સ્વભાવથી કાર્ય થતું નથી, પણ કારણની અપેક્ષાએ જ કાર્ય થાય છે. અને તેમ માનવાથી સમાન આયુષ્યવાળા બે જીવોમાંથી એકને ઉપક્રમ સામગ્રી મળવાને કારણે આયુષ્યનું અપવર્તન થયું, અને અન્યને ઉપક્રમ સામગ્રી ન મળવાને કારણે અપવર્તન થયું નહીં. તેથી કર્મ સોપક્રમ અને નિરુપક્રમરૂપે સિદ્ધ થાય છે. ટીકાઃ- તમાપવર્તનાવયુવીર વિરામપિ વીર્યનચતિ વ્યવસ્થિત, વંર તાત્રદુરવીર પ્રહે सुखोदीरणप्रसङ्गोऽपि भगवतां दुर्निवारः॥१०१॥ ટીકાર્થ:- “તમાત્' તે કારણથી=પૂર્વમાં કહ્યું કે કર્મનું ઉદીરણ વીર્ય વિના થતું નથી, કેમ કે ઉદીરણા એ કરણ છે અપવર્તનાની જેમ. ત્યાં પૂર્વપક્ષીએ કહ્યું કે, અપવર્તના પણ કર્મના તથાસ્વભાવથી થાય છે વીર્યથી નહિ. તેનું

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246