Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 199
________________ ૫૪૪ . અધ્યાત્મમત પરીક્ષા ગાથા - ૧૧0. ટીકા - માવત ફિનિરિત્વેના મારામાવાત્ વત્નાહારી હારે હેતુપાત્રથાર મનોવિત્યષ્મતતૈયા दुरवधीरणम्। न च स्वरूपत एव पात्रस्य ममत्वहेतुत्वमस्ति, पाणिपात्राणामर्हतां केवलज्ञानानुत्पत्तिप्रसङ्गात्। ટીકાર્ય - ‘માવત' ભગવાનનું નિર્મોહીપણું હોવાને કારણે મમકારનો અભાવ છે તેથી અનુચિત પ્રવૃત્તિથી વર્જિત છે. તેને કારણે કવલાહારના ઉપહારના=પ્રહણના, હેતુભૂત એવા પાત્રનું ધારણ દુરવીરણ છે અર્થાત પાત્રધારણની અવધીરણા ન કરે. ભાવાર્થ - ભગવાનને નિર્મોહીપણું હોવાને કારણે ભગવાનમાં મમકારનો અભાવ છે. મમકારનો અભાવ હોવાથી તેઓ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી, તેથી કવલાહારના ગ્રહણના હેતુભૂત એવા પાત્રના ધારણની અવગણના કરી શકે નહીં. કેમ કે જો પાત્રનો ત્યાગ કરવામાં આવે તો બાહ્ય રીતે અહિંસાનું પાલન શક્ય નથી, તેથી બાહ્ય અનુચિત પ્રવૃત્તિ પ્રાપ્ત થાય. કેવલી મમકાર નહિ હોવાથી અનુચિત પ્રવૃત્તિ કરતા નથી, તેથી પાત્રના ત્યાગમાં અનૌચિત્યના કારણે વર્જિતપણું છે. તે કારણથી પાત્રનું ધારણ કેવલીને દુરવીરણ છે. અહીં વિશેષ એ છે એ કે કેવલી પાત્ર ગ્રહણ ન કરે તો અનુચિત પ્રવૃત્તિ પ્રાપ્ત થાય, તેથી પાત્રત્યાગ કેવલીને વર્જિત બને છે, માટે પાત્રત્યાગમાં વર્જિતતા છે. કેમ કે કેવલી કોઈ દિવસ અનુચિત પ્રવૃત્તિ કરે નહિ એ પ્રકારનો ભાવ છે. ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે વાસ્તવિક રીતે પાત્ર મમકારનો હેતુ છે, તેથી નિર્મોહીને તો પાત્રગ્રહણનું વિધાન ઉચિત પ્રવૃત્તિરૂપે કહી શકાય નહિ. તેથી ગ્રંથકાર કહે છે - ટીકાર્ય - Ta' સ્વરૂપથી જ પાત્રનું મમત્વહેતુપણું નથી, કેમ કે (સ્વરૂપથી પાત્રને મમત્વનો હેતુ કહીએ તો) કરપાત્રવાળા એવા ભગવાનને કેવલજ્ઞાનની અનુત્પત્તિનો પ્રસંગ આવશે. ભાવાર્થ - તીર્થકર કરપાત્રવાળા હોય છે. તેથી બાહ્ય પાત્રનો કદાચ ત્યાગ કરી શકાય, પરંતુ કરરૂપ પાત્રનો ત્યાગ થઈ શકે નહીં. તેથી કરરૂપ પાત્ર સદા તેમની પાસે હોવાથી તીર્થકરોને કેવલજ્ઞાનની અનુત્પત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે. ટીકા -વીદાપાત્રત્વેનૈવતથા–મિતિ વે? વીઢિાવં વિમાનન્નત્યં માત્મોપીતાજેન્દ્ર શરીરચર્વ वा अशक्यपरिहारभिन्नत्वं वा? नाद्यः, पाणिपात्रस्यापि तथात्वात्। न द्वितीयः, बाह्यत्वेनाभिमतस्याप्यतथात्वात्। न तृतीयः, शरीरस्यापि ममताहेतुत्वेन व्यभिचारेण शरीरान्यत्वेन ममताहेतुत्वाभावात् 'इदं मदीयं' इति धीद्वारा जगत एव तद्धेतुत्वात्, पात्रविषयकमदीयत्वधीद्वारापि पाण्यपाणिसाधारणपात्रत्वेनैव तथात्वात्। नापि चतुर्थः,शरीरस्येव पात्रस्याप्यशक्यपरिहारत्वात्। शरीरं नामकर्मस्थितेर्दीर्घतयाऽशक्यपरिहारमिति चेत्? तदिदमपि वेदनीयकर्मस्थितेर्दीर्घतया तथा।

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246