Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 218
________________ ગાથા ૧૧૫-૧૧૬..... અધ્યાત્મમત પરીક્ષા ૫૬૩ • • • • • • • • • • • • • ટીકાર્ય -“નથીન' - લબ્ધિઓનું કારણના ઘટન અને વિઘટન દ્વારા જ કાર્યના ઘટન અને વિઘટનમાં તંત્રપણું =કારણપણું, છે. II૧૧૫ ભાવાર્થ:- કેટલાંક કાર્યો લબ્ધિથી નિષ્પન્ન થાય છે અને કેટલાંક કાર્યો અન્ય સામગ્રીથી નિષ્પન્ન થાય છે; અને તે જ રીતે કેટલાંક કાર્યોનું વિઘટન સામગ્રીના વિઘટનથી થાય છે અને કેટલાંક કાર્યોનું વિઘટન લબ્ધિથી થાય છે; પરંતુ લબ્ધિથી જે કાર્ય નિષ્પન્ન થાય છે ત્યાં પણ કારણસામગ્રીના સંચય વગર કેવલ લબ્ધિથી કાર્ય થતું નથી, અને લબ્ધિથી કાર્ય વિઘટન થાય છે ત્યાં પણ કારણસામગ્રીના વિઘટન વગર કેવલ લબ્ધિ કાર્યનું વિઘટન કરી શકતી નથી. તે જ રીતે જઠરાગ્નિના કારણભૂત તૈજસશરીરના નાશ વગર જઠરાગ્નિનો નાશ લબ્ધિ કરી શકતી નથી. જ્યાં લબ્ધિ દ્વારા એક ઘટમાંથી સહસ્ર ઘટની નિષ્પત્તિ થાય છે, ત્યાં પણ ઘટના કારણભૂત મૃદાદિદ્રવ્યોનો સંચય લબ્ધિ દ્વારા થાય છે, અને તેનાથી જ સહસ્ર ઘટોની નિષ્પત્તિ થાય છે; પરંતુ સર્વથા મૃદાદિ પુદ્ગલોનો અભાવ હોય ત્યાં અકસ્માત સહસ્ર ઘટોનો પ્રાદુર્ભાવ થતો નથી. અહીં વિશેષ એ છે કે લબ્ધિ વગરના જીવો મૃદાદિદ્રવ્યોના સંચય માટે યત્ન કરતા દેખાય છે અને તેનાથી ઘટ નિષ્પન્ન થાય છે. જયારે લબ્ધિધારીને લબ્ધિના બળથી અતિશીધ્ર કારણસામગ્રીની પ્રાપ્તિથી કાર્યની નિષ્પત્તિ થાય છે, તેથી સહસા કાર્ય પેદા થયું છે તેવો પ્રતિભાસ પેદા થાય છે. ll૧૧૫ અવતરણિકા - પિત્ર પરીવરિષ્ણુપીમેપિસ્થિતિવૃદ્ધી માહીRપુનાપતિ પ્રીતિ અવતરણિકાર્ય - અને વળી પરમૌદારિકના અભ્યપગમમાં પણ=સ્વીકારમાં પણ, તેની સ્થિતિ-વૃદ્ધિ આહારપુદ્ગલ સાપેક્ષ જ છે. એ રીતે જણાવતાં ગ્રંથકાર કહે છે ગાથા - ओरालिअत्तणेणं तह परमोरालिपि केवलिणो। कवलाहारावेक्खं ठिइं च वुढेिच पाउणइ ॥११६॥ (औदारिकत्वेन तथापरमौदारिकमपि केवलिनः । कवलाहारापेक्षां स्थितिं च वृद्धिं च प्राप्नोति ॥११६॥ ) રકા તાન કરી દારિક પણ કવલાહારની અપેક્ષા ગાથાર્થ :- (કેવલીના રાખીને સ્થિતિ અને વૃદ્ધિને પામે છે. દીફ ગાથા-૧૧માં કહેલ તથા' શબ્દ ગાથા-૧૧૫માં કહેલ કથનના સમુચ્ચયરૂપ છે. ટીકા -પરમૌરિસ્થિતિઃ ઘટ્વીરસ્થિતિવેન વાહ રાક્ષ, ર ર ત નોfક્ષળ્યાં वनस्पत्यादि-शरीरस्थितौ व्यभिचारः, क्षुज्जनितकार्यादिपरिहारेण धातूपचयादिद्वारा धातुमच्छरीरस्यैव तज्जन्यत्वात् स्थितौ तज्जन्यत्वस्योपचारात्, धातुमत्वस्य चोपलक्षणत्वात् न परमौदारिकस्य तथात्वं

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246