Book Title: Acharang Sutram Pratham Shrutskandh Author(s): Vikramsenvijay Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra View full book textPage 6
________________ મકાશકીય SિIC, જૈન ધર્મમાં સુંદરમાં સુંદર પ્રકાશનો, જ્ઞાનપિપાસુ આત્માની તૃષા છીપાવવા માટે, આત્માને સાચો અવબોધ થાય તે માટે પ્રકાશિત કરવામાં અગ્રેસર એવી ઘણી સંસ્થાઓ છે તેમાં અમારી શ્રી લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન - છાણી, શ્રી લબ્ધિસૂરીશ્વરજી ગ્રંથમાળા, શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી ગ્રંથમાળા, શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી ગ્રંથમાળા શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી ગ્રંથમાળા શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી ગ્રંથમાળા દ્વારા અનેક સંસ્કૃત - પ્રાકૃત - ગુજરાતી - હીન્દીમાં પ્રકાશનો પ્રકાશિત કરી શાસનસેવા કરેલ છે. તે આજે પણ પૂ. લબ્ધિ-ભુવનતિલક-ભદ્રંકર-અરૂણપ્રભ-વીરસેનસૂરીશ્વરજી મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. 3ૐકારતીર્થમાર્ગદર્શક સૂરિમંત્રસમારાધક આચાર્યદેવ શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષ, પૂ. મુનિવર્ય વિક્રમસેનવિજય મ.ની પ્રેરણા દ્વારા સંસ્થા દિનપ્રતિદિન સુંદરમાં સુંદર પ્રકાશનો પ્રકાશિત કરવામાં આગળ વધી રહી છે. તે ખરેખર આનંદનો વિષય છે. તેઓશ્રીના ચરણે વંદના.... આજે ૪૫ આગમોમાં પહેલું અંગ-સૂત્ર આચારાંગ મૂળ - અક્ષરગમનિકા - અન્યવાર્થ - ગુજરાતી-હીન્દી ભાવાર્થ સાથે પ્રથમ શ્રુતસ્કંધ પ્રકાશિત કરી રહેલ છે. જે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ઘણું જ ઉપયોગી નીવડશે... આગામી પ્રકાશનરૂપે શ્રી બારસાસૂત્ર મૂળ મોટા ટાઈપમાં, ફોર કલર ફોટાસહ પ્રકાશિત કરવા ભાવના છે. આ ગ્રંથ પ્રકાશનમાં જ્ઞાનભક્તિકારક શ્રી સંઘો તથા શ્રાવિકાસંઘો દ્વારા જ્ઞાનદ્રવ્યનો સવ્યય કરી પ્રકાશન કરવામાં સુલભતા કરી આપી છે. ધન્યવાદ... આ ગ્રંથને સુશોભિત રીતે શુધ્ધતાપૂર્વક પ્રીન્ટીંગ આદિ કાર્ય કરવામાં નેહજ એન્ટરપ્રાઈઝ - જયેશભાઈ એન. શાહ - મુંબઈ. તથા કોમ્યુટરાઈઝ કરવામાં શૈલેષભાઈ આદિએ સારી જહેમત ઉઠાવી. તે બદલ ધન્યવાદ.... રાજેશ એન. શાહ - છાણી..Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 372