________________
૨૧૬
યુગ પધાન શ્રીજિનચંદ્રસૂરિ
શુભ રેખાઓ અને લક્ષણો જોઈ રાય કલ્યાણસિંહજીએ + સંગ્રામસિંહજીના અવસાન બાદ એને અમાત્ય પદ આપ્યું. એમણે શત્રુજ્ય, આબુ, ગિરનાર, સ્તંભતીર્થ આદિની સપરિવાર યાત્રા કરી. તેઓ રાજનીતિ, યુદ્ધ કળા, અને સંધિ કરાવવામાં કુશળ હોવા ઉપરાંત વીર, દાની, અને ધર્માત્મા પણ હતા.
એકવાર રાય કલ્યાણસિંહજીએ જોધપુરના ગવાક્ષમાં કમલપૂજા કરવાનો પિતાના પૂર્વજોનો દુસાધ્ય અને શિયાળનો મને રથ મંત્રીશ્વરને જણાવ્યું. એમણે કુમાર રાયસિંહજીની સાથે સ્વામિ ભક્તિના ભાવથી દિલ્લી સમ્રાટ અકબર પાસે જઈ, તેમને પ્રસન્ન કરી X આ અતિ કઠણ કાર્ય પણ સિદધ
+એઓ રાય જેતસીજીના પુત્ર હતા. એમનો જન્મ સં. ૧૫૫ મહા સુદિ ૬ ના થએલે, સં. ૧૬૦૧ પોષ સુદિ ૧૫ ના રોજ બીકાનેરની રાજગાદી પર બેઠા. શત્રુના હાથમાં ગએલું બીકાનેરનું રાજય એમણે પુનઃ પ્રાપ્ત કર્યું. સં. ૧૬ર૮ ના વૈશાખ વદ ૫ એમનો દેહાંત થયો.
એમણે કર્મચંદ્રને અમાત્ય પદ પર નિયુકત કર્યા. કર્મચકે સમ્રાટની કૃપાથી એમને જોધપુર રાજ્ય ગવાક્ષમાં બેસાડવાનું ગૌરવ પ્રાપ્ત કરેલું, એ ઘટનાને જે કલ્યાણનિંદજીના સ્વર્ગવાસથી ૩-૪ વર્ષ પૂર્વની માનવામાં આવે, તો કમચન્દ્ર મંત્રી બન્યાનો સમય સ. ૧૬૨૫ની પહેલાંનો ગણી શકાય છે; અને આ સમયે જે એમની ઉમ- ૨૦-૨૫ વર્ષ નીય અનુમાનવામાં આવે તો કર્મચન્દ્રનો જન્મ સં. ૧૬૦૦ આસપાસ થયા હોય, એવા સંભવ છે.
* સમ્રાટને પ્રસન્ન કર્યાની બાબતમાં “ઓસવાલ જાતિ કે ઇતિહાસ” માં લખ્યું છે કે જે સમયે કર્મચન્દ્ર દિલ્લી (૨) દરબારમાં ગયા, ત્યારે સમ્રાટ સતરંજ ખેલતા હતા. (પરંતુ એ) સતરંજની ચાલ અટકી પડી હતી, કેમ કે જે કાંઈ ચાલ સમ્રાટ ચાલતા એમાં એમની હાર થતી હતી. કહેવાય છે કે એ વખતે કર્મચા સતરંજની એવી ચાલ બત વી કે બાદશાહ, વિજયી થયા, અને મંત્રીશ્વર પર ખૂબ પ્રસન્ન થયા.