Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 280
________________ રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની કથા, ર૫૧ આ પ્રમાણે કહી વિદ્યાસિદ્ધ અને પ્રસિદ્ધ એવો તે ઉત્તમ પુરૂષ તરત શ્રી પર્વતમાં ચાલે ગયે. એવા પુરૂષો ચિરકાળ ટકી રહેતા નથી. પછી હું પ્રસન્ન હદયે ત્યાંથી નીકળી ચંદ્રાવતી નગરીમાં આવ્યું. ત્યાં ફરતે ફરતે લેભાકર અને લેભનદી નામના બે વણિકોની દુકાને ગયે, તે વણિકોએ સત્કારપૂર્વક બરદાસ કરી મને એવો તે વશ કરી લીધે, કે જેથી મારા મનમાં તેમને વિશ્વાસ આવી ગયો અને બીજા કેઈએ મને જાણ્યો નહિં. નગરીની શોભા જેવાની ઈચ્છાથી ત્યાં સ્થિતિ કરી મેં ગ્ય વિચાર કરી તે તુંબડું તેમની દુકાને મુકયું. પછી મેં કેટલાએક દિવસ રહીને નગરીની શોભા જોઈ. પછી મારી માતાને નમન કરવાની ઈચ્છાને લઈને હું મારા નગરમાં જવા ઉત્સુક થયે જ્યારે હું વતન જવા તૈયાર થશે, તે વખતે મેં તે બંને વણિકોની પાસે તે તુંબડું પાછું માગ્યું. તુંબડાના પ્રભાવનું સ્વરૂપ જાણી ગયેલા તે બંને વણિકોએ તે મને પાછું આપ્યું નહિં. પછી હું મારી વિદ્યાના પ્રભાવથી તેમને યોગ્ય ઉપાય કરી અર્થાત્ સ્તંભિત કરી અહિં આવ્યો ત્યાં મારૂં નગર લેકેથી શૂન્ય થયેલું જે મને ખેદ ઉત્પન્ન થયો.” આ પ્રમાણે વૃત્તાંત સાંભળી ગુણવર્માએ વિચાર્યું કે, “મારા પિતા અને કાકાને પિતાની વિદ્યાથી ઑભિત કરનાર આજ માણસ જ્યાં સુધી તેનું સ્વરૂપ બરાબર મારા જાણવામાં ન આવે, ત્યાં સુધી મારે ખુલા થવું નહીં.” આવું વિચારી ગુણવર્મા બે-“કહે, તે પછી શું બન્યું ?” જયચંદ્ર પુનઃ પોતાની વાત આગળ ચલાવી– “પછી સ્વજન વગરને હું આ શુન્ય નગરમાં ચારે તરફ ફરી રાજદ્વારમાં ગયો. રાજ મહેલને સાતમા માળ ઉપર ચડયે, ત્યાં મારા મોટા બંધુની વિજયા નામની સ્ત્રીને મેં એકલી રહેલી જોઈ. તેણીએ આસન વિગેરે આપીને મારી વિનય કર્યો. પછી મેં તેને વૃત્તાંત પુછશે, એટલે તેણે નેત્રામાં અથુ લાવી આ પ્રમાણે બોલી-“પૂર્વે પવનથી પવિત્ર એવા આ શહેરના ઉપવનમાં માસે માસે ઉપવાસ કરનારા કેઈ એક તાપસ આવ્યો હતો. એક વખતે તમારા બંધુએ તેને પારણાને માટે આમંત્રણ આપ્યું, રાજાની આજ્ઞાથી તે જમવા બેઠે ત્યારે મેં તેને પવન નાંખવા માંડે, તે વખતે પ્રથમથીજ નહિં દમન કરેલું તેનું હૃઢય તરત મારી ઉપર ભમવા લાગ્યું. જેમણે બ્રહ્મસ્વરૂપ જાણ્યું ન હોય તેવા પુરૂ એવા જ હોય છે. વળી કહ્યું છે કે, “નિરાહાર મનુષ્યના વિષયે નિવૃત્ત થાય છે અને તેનો રસ, રસને વર્જનારા બીજાને જોઈને નિવૃત થઈ જાય છે. તે જ રાત્રે તે વિષયી તાપસ ઘ નાંખવાનો પ્રયોગ કરી મારા મહેલમાં ગધ આવ્ય, કામાંધને લજજા કયાંથી હોય ? તપમાં યમનિયમ હોય તે જ ધર્મ કહેવાય છે. તેણે કામની ઈચ્છાથી સામદંડના વચનથી મને કહેવા માંડયું, મેં તે પાપીને ઘણે સમજાવે છતાં પણ તેણે પિતાને અધ્યવસાય છોડો નહિં. આ વખતે આરા સ્વામી દ્વાર ઉપર આવી ચડ્યા. તેણે તે બધું સાંભળી તે અધમ તાપસને પકધને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360