Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 333
________________ ૩૦૪ શ્રી વિમળનાથ ચરિત્ર, લેકમાં પાપ તથા સંતાપથી રહિત દેવતા થયા. એવી રીતે અનર્થદંડ વિરતિરૂપ વ્રતને પાળવામાં સુખ અને વિરાધવામાં દુઃખ જાણીને હિતને ઇચ્છનારા પુરૂષે તે અનર્થદંડનો ત્યાગ કર. इति अष्टमं व्रतम શ્રી જિનેશ્વરે એ દિગવિરતિ વિગેરે ત્રણ વ્રત ગુણની પ્રાપ્તિને લઈને ભવ્ય શ્રાવકના ગુણવ્રત કહેલા છે. યતિઓને સુંદર સામાયિક વ્રત બે પ્રકારનું કહેવું છે તે સદા પાળવાનું છે અને શ્રાવકને સામાયિક ત્રણ પ્રકારનું કહેલું છે અને તે બે ઘડી અને પાળવાનું છે. એ સામાયિક શુદ્ધ પાળવાથી મનુષ્ય મેક્ષને પામે છે તો એક લાખ સુવર્ણના જેટલું દાન એની પાસે કઈ ગણત્રીમાં આવી શકે ? સામાયિક વ્રતને આશ્રય કરે છે, તે કદિ તિય હોય, તો પણ એક વાનરની જેમ દેવપણાને પ્રાપ્ત થાય છે. એક વાનરની સ્થા. - શકિતમતી નગરીમાં સિદ્ધ નામે એક ઉત્તમ વૈદ્ય હતા, પરંતુ તે ઘણે લેભી હોવાથી મુનિ શિવાયના માણસોને છેતરતો હતો. તે આધ્યાનથી મૃત્યુ પામી અંત વાનર થશે. તે વાનરનિર્જન વનમાં મેટે યૂથપતિ થયે. એક વખતે સાર્થમાંથી ભ્રષ્ટ થઈ વિખૂટા પડેલા સાધુઓ ત્યાં આવી ચઢયા. તેમાં એક મુનિના પગમાં દુસ્સહ કાં ભાંગ્યો. તેથી તે પુણ્યશાલી મુનિએ બીજા સાધુઓને કહ્યું કે, “ હું ચાલી શકતો નથી, માટે મને મુકીને તમે જાઓ.” એટલે સર્વ સાધુએ તેને ખમાવીને ચાલ્યા ગયા, અને તે એકલે કાંટાની વેદના ભગવતો ત્યાં રહ્યું. તે વખતે પેલા વાનરોનું યૂથ ત્યાં આવ્યું, અને તે સાધુને જોતાં જ તે વાનરાઓ યોદ્ધાની જેમ ક્રોધ કરી તેને મારવાને લેવામાં દેતા હતા, તેવામાં પેલે ચૂથપતિ વાનર આવી પહોંચે. તે મુનિના દર્શનથી તેને જાતિસ્મરણ થઈ આવ્યું, એટલે મુનિને મારવાને ઉદ્યત થયેલા પિતાના સર્વ આશ્રિત વાનરાઓને તેણે નિવાર્યા. પછી તેણે તે મુનિને નમસ્કાર કરી વિશલ્યા નામની ઓષધી વડે તે કાંટાનું શુલ્ય કાઢી તે ઉપર ત્રણસંહિણી ઔષધી લગાડી મુનિને ત્રણ રહિત કરી દીધા એવામાં તે વાનરના નેત્રોમાં અશ્રુ જે મુનિએ પુછ્યું, “તે મારા ઉપકાર કર્યો, છતાં તું દુઃખી કેમ થાય છે ?” પછી વાનરે પૃથ્વી ઉપર અક્ષરો લખી પિતાને મનુષ્યભવ મુનિને જણાવ્યું. મુનિએ સ્વસ્થ થઈને તેને આ પ્રમાણે પ્રતિબંધ આપે. “ભદ્ર! ઉત્તમ જનેએ વજેલા આર્જા અને રૌદ્રધ્યાન કરવા નહિં, આર્તધ્યાનને લઈને તે પૂર્વે મનુષ્યભવને હારી તિર્યચપણને પ્રાપ્ત થયેલ છે. રોદ્રધ્યાન કરવાથી તે નરકનીજ પ્રાપ્તિ થાય છે. તેથી એ દુધ્ધનને છોડી દઇ તું સામાયિક વ્રત અંગીકાર કર્યું. જે વ્રતથી તેને બીજા જન્મને વિષે સ્વર્ગ તથા મેલ સુલભ થશે.” મુનિનું આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360