Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 337
________________ ૩૦૮ શ્રી વિમળનાથ ચરિત્ર, દેવને નમીને મુનિને અને પછી ગુરૂને વંદના કરી, તે વખતે સૂરિ પિતે આ પ્રમાણે બેલ્યા “રાજન ! તેં વિપરીત વંદના કેમ કરી? પહેલાં તે દેવને, પછી સાધુને અને પછી મને વંદના કરી એ તારા કમથી તે નિંદાય છે.” રાજાએ ગુરૂને કહ્યું, “સ્વામી ! હું પૂર્વભવે વાનર હતા, ત્યારે આ દેવતાએ મને સામાયિક વ્રત ઉચ્ચરાવ્યું હતું, તે પુણ્યથી હું અલ્પ આયુષ્યવાલે વ્યંતર થયું હતું, ત્યાંથી ચ્યવને આ જન્મમાં હું અરૂણદેવ નામે રાજકુમાર થયો છું. એ કારણને લઈને મેં ગુરૂબુદ્ધિથી પ્રથમ તેને વંદના કરી છે.” ગુરૂએ પછી સામાયિક વ્રત સંબંધી દેશના આપી. ગુરૂની દેશના સાંભલ્યા પછી રાજા અરૂણદેવે પિતાના પુત્ર પદ્મશેખરને રાજ્ય ઉપર બેસારી પતે દીક્ષા ગ્રહણ કરી, મુનિ અરૂણદેવે સમતા સાથે શુદ્ધ સામાયિક પાળતાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. અંતકાલે અનશન લઈ પ્રાણ ત્યાગ કરી વીશ સાગરોપમના આયુષ્યવાલે પ્રાણત દેવલોકન ઇંદ્ધિ થયે. ત્યાંથી ચ્યવીને વિદેહક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી તે આ લેકમાં સંસારના તાપથી રહિત તીર્થકર થશે. આ પ્રમાણે સદ્ભાવનાવાળું સામાયિક વ્રત પાળવું, કે જેથી તમારું આ લોક તથા પરેલેકમાં કલ્યાણ થાય. इति नवमंत्रतम् " જે દિવસે અને રાત્રે સચિત્ત વિગેરેને સંક્ષેપ કરવામાં આવે તેને કવીશ્વર મુખ્ય પણે દેશાવકાશિક વ્રત કહે છે. હાલ તે શાસ્ત્રમાં વ્યવહારમતે વિખ્યાત એવું દિવિરતિના સંક્ષેપને દેશાવકાશિકત્રત કહે છે. જે પુરૂષ તે દેશાવકાશિકવ્રત લઈને તેની વિરાધના કરે છે, તે પુરૂષ કાકજંઘની જેમ આ લેક તથા પરેલેકમાં દુઃખ પામે છે. કાકજઘની સ્થા. સેપારક નગરમાં કેકાસ નામે એક દાસીપુત્ર રહેતું હતું. અને તેજ નગરમાં મિલનામે એક રથકાર પણ રહેતે હતે. મિલ રથકાર પિતાના પુત્રને વિવિધ કલાઓ ભણાવતે પણ કેઈ નઠારા કમને વેગે તેને એક કલા પણ આવડતી ન હતી. તેની પાસે દાસીપુત્ર કોકાસ પણ જ, તે બધી કલાઓને બુદ્ધિથી ભણી શકતે હતે. અનુક્રમે સારી બુદ્ધિવાલો કેકાસ રથકારે કહેલું સર્વ શીખી ગયે. પિતાએ પુત્રને જાતે આપેલી હિતકારી એક પણ વિદ્યા આવ નહિં. કર્મ અને ઉદ્યોગ શિવાય સર્વ સ્થળે કાર્યસિદ્ધિ થતી નથી. સોમિલ નિર્વેદ પામી ગયો. તે ધર્મ કરી આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામી પરલોકે ગયે. કલાઓથી પણ ગતિને ક્ષય તે થતો નથી. રાજાના શાસનથી સેમિલને ઠેકાણે કેકાસની નીમણુક થઈ, આ પૃથ્વી ઉપર કેલાવાનનું દાન સહિત માન થાય છે. આ અરસામાં માલવ દેશમાં વિશાળા નામે કરી હતી. તે નગરીમાં વિચારધવળ નામે પરમ આહંત રાજા હતા. તે રાજાના રાજ્યમાં ભંડારી. રસેઈઓ, શય્યાપાળ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360