Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 346
________________ ૩૧૭ અગ્યારમા વ્રત ઉપર મલયકેતુની કથા. સર્વની ભકિત કરવા તમારે ઘેર આવીશું.” આ સાંભળી રાજાએ સવૃત્તિથા મંત્રીના મુખ સામે જોયું, મંત્રી સવ દિવ્ય આભૂષણેથી વિભૂષિત એવા હરિબલને જોઇ લેભાઈને બે -“દેવ આપણે ચાલે યમરાજને ઘેર જઈએ. કારણ કે, ૫ર ઘેર જવા આવવાથી મૈત્રી વધે છે.” પછી રાજાની આજ્ઞાથી રાજપુરૂષોએ મેટ ચિતા તૈયાર કરી, તેની અંદર પ્રવેશ કરવાને રાજા મંત્રી વિગેરેની સાથે હર્ષથી ચાલ્ય, પહેલાં તેની અંદર યમરાજાને દત પડો, પછી મંત્રી પડો પછી જેવામાં રાજા તેમાં પડવાને ઉત્સુક થયે, તેવામાં હરિબળે.તેને હાથે પકડી રાખ્યો અને કહ્યું કે, “રાજન, તમે પડશે નહિં” રાજા છે, શા માટે હું ન પડું?” હરિબલે કહ્યું, “હે રાજા ક્યારે પણ અગ્નિમાં પડેલા શું જીવે છે ? આ તે મારી બુદ્ધિની ચેષ્ટા છે. આ મંત્રીએ તમને બેટી સલાહ આપી હતી, તેથી તેને નાશ કરવામાં આવ્યું છે, પરંતુ હું સ્વામિદ્રોહ કદિપણ કરીશ નહિં. માટે તમે તમારા આવાસમાં સત્વર ચાલ્યા જાઓ. વૃથા મૃત્યુ પામો નહિં.” તેનાં આવાં વચન સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “અહો ! આ સામાન્ય પુરૂષ નથી. પૂર્વે મેં એ નિરપરાધી છતાં એનું પ્રાણુત સુધીનું વિપરીત ચિંતવ્યું હતું, એવા હું અપરાધી ઉપર પણ અત્યારે દયાળુ થયો તેથી ખરેખર ક્ષમાભૂત તો આજ પુરૂષ છે અને હું તે એક સામાન્ય ગૃહસ્થ પણ નથી, તેથી મારું રાજ્ય આ પુરૂષને આપી હું અનગાર થાઉં” આવું ચિંતવી રાજાએ ઘેર જઈ તે હરિબળને પિતાની પુત્રી આપી અને પાણિમેચનને સમયે પિતાનું રાજ્ય આપી દીધું, પછી પોતે દીક્ષા લીધી. એક વખતે હરિબળે પિતાના મનમાં હર્ષથી ચિંતવ્યું કે, જે આ વખતે મારા જ્ઞાની પૂર્વગુરૂ આવે, તે વધારે સારૂં” દેવગે તેટલામાંજ તે બુદ્ધિ ચતુર ગુરૂ આવી ચડયા. હરિબળ તે ખબર જાણી સપરિવાર આનંદયુક્ત થઈ ગયો. ગુરૂની સમીપે જઈ તેમના ચરણ કમળમાં નમી અને દેશના સાંભળી તે ગૃહસ્થ શ્રાવકધર્મને પ્રાપ્ત થયે. પછી જ્યારે પુત્ર થયે, એટલે તેને રાજ્ય ઉપર સ્થાપિત કરી પિતે ચિત્તમાં સંતેપનું પિષણ કરી દીક્ષા ગ્રહણ કરી. તેણે તે મહાવ્રત અતિચાર રહીત લાંબે કાળ પાળ્યું અને છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમાધિવડે તે સિદ્ધિને પ્રાપ્ત થયો. આ પ્રમાણે મંત્રીએ નિયમ સંબંધી અભુત કથા કહી. તે પછી પૌષધાલયની મધે ગયે અને ત્યાં આવશ્યકક્રિયા અને સ્વાધ્યાય ધ્યાન કરીને તે બુદ્ધિવાલા રાજાએ બીજા પહોરમાં કાર્યોત્સર્ગ કર્યો. તે વખતે કઈ મિથ્યાષ્ટિ દેવતાએ તેને ધર્મપરાયણ જાણીને ઉપદ્રવ કરવા માંડયો. તો પણ તે ધ્યાનથી ચલિત થયે નહિ, ત્યારે તે ૧ ક્ષમાભૂત રાજાપક્ષે મુનિ ૨ કરમેચન એટલે હથેવાળો છે તે વખતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360