Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 297
________________ २१८ શ્રી વિમળનાથ ચરિત્ર, ગર્વ હોય તો તે છોડ કે જેથી આપણ બંનેનું બલાબળ જાણવામાં આવે.” આ વચનો સાંભળી મેકે રાજ્યને આપનારા સ્વચકની જેમ હાથમાં રહેલું તે ચક સ્વયંભૂ વધ કરવા માટે ફેરવીને છોડયું. તે છુટેલું ચક સ્વયંભૂના હદયમાં લાગ્યું, તે ઘટિતજ થયું. કારણ કે, સત્-પુરૂને ઈષ્ટજનનો પ્રથમ મેલાપ થતાં એમજ બને છે એટલે ઈષ્ટજન પ્રથમ હૃદયમાં લગ્ન થઈ જાય છે. તે એક કઠોર હોવાથી સ્વયંમને તે લાગતાં ક્ષણવાર મૂછ આવી ગઈ. જેમ શ્રેણિક રાજાને મેલાપ થતાં શાલિભદ્રને મૂછ આવી હતી, અથવા તે મૂછ ન હતી પણ સ્વયંભૂએ પિતાના બે નેત્રો વાંચીને એવું ધ્યાન કર્યું હતું કે, “અહે આ ચક કેવું અદ્ભુત છે?” એ વિચાર કરી રાજાએ તે ચકને પિતાને જમણો હાથ આપે અને તે બંનેએ યાજજીવિત હિતકારી સહુ૬ - ભાવ અંગીકાર કર્યો. તે પછી સ્વયંભૂએ ચકને કહ્યું કે, “જ્યાં સુધી તું શત્રુના સન્યમાં જઈ કાંઈ પણ કાર્ય ન કરે ત્યાં સુધી મને તારા વિશ્વાસ હૃદયમાં આવતો નથી. તે સાંભળી ચકે ઉત્તર આયે, “સ્વામિન, હું જ્યારે શત્રુના સૈન્યમાં જઈ તેના મુખ્ય રાજાનું મસ્તક છેદી તેનું સાત અંગવાળું રાજ્ય લાવી આપું, ત્યારે તમે મને ખરૂં માનજે, પરંતુ હવે મને જલદી મોકલે. ન્યાય પ્રવીણ પુરૂષોએ શત્રુને મારવામાં વિલંબ કરે ઠીક કહેલું નથી. ” ચકનાં આવાં વચન સાંભળીને ડાહ્યા રાજાએ પોતાના હકયમાં વિચાર્યું કે, “આ મારા શત્રુમંજન ચકને હવે એકવાર તે એકલું.” પછી વયંભૂએ મેરકને કહ્યું કે આ ચક્ર તને પ્રાણપ્રિય છે, તેથી તે તારી પાસે આવ્યું છે, તે તારા પ્રાણ લઈને આવશે. માટે તું જીવ લઈને દૂર ચાલ્યા જા, શા માટે વૃથા મૃત્યુ પામે છે ? પિતાની જાતને માટે પૃથ્વીને પણ છોડ દેવી, એમ પુરૂએ કહેલું છે. હમણું તારા પ્રાણ મારા હાથમાં છે, જે હું જીવાડું તેજ તું જીવી શકે, તે સિવાય જીવી શકે નહિં. ” સ્વયંભૂનાં આવાં વચન સાંભળી મેરક બે -અરે ! તું વિચાર કર્યો કે જો આ ચક્ર મારૂં ન હોય તે પછી તારૂં શી રીતે થશે? જે સ્ત્રીઓ પિતાના પતિને વશ રહેતી નથી, તે સ્ત્રી બીજા જાર પુરૂષને વશ થઇ શી રીતે સુખદાયક થાય? તેથી તું આ ચક મારી ઉપર છેડ દે. અન્યથા કપના કરીને ખેદ પામીશ નહિં.” મેરકે આ વચને કહ્યાં, એટલે સ્વયંભૂએ ફેરવીને તે ચક આદરપૂર્વક છોડી દીધું. તત્કાળ તેણે મેરકના મસ્તકરૂપી કમળને છેદી નાખ્યું. તે જ વખતે સ્વયંભૂની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પદ્ધ અને મેરકનું ધડ પૃથ્વી ઉપર પડયું. મેરકની સેનાએ પછી સ્વયંભૂ આશ્રય લીધે. જાન તો એજ રહી, પરંતુ ફકત તેને વરરાજા બીજો થયો. તે પછી સ્વયંભૂ તે ચકને અનુસરી તેની પાછળ ચાલે અને તેણે ભરતાદ્ધને ૧ રવચક એટલે પિતાને પક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360