Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૦ શ્રી વિમળનાથ ચરિત્ર. જાણીને તમારી પાસે લાવ્યેા છે. ” રાજાએ કહ્યું, “ જેનું નામ જાણ્યું ન હેાય તેવા ફલના સ્વાદ લેવાને મેં નિયમ લીધે છે. ” પછી રસના લાલુપ એવા તેના અંધુ મહેદ્ર તે ફલ ખાઇ ગયા. તે ઝેરી વૃક્ષના કૅલ ખાવાથી તે તરતજ ૫ચત્વને પામી ગયે તે મૃત્યુ પામીને વ્યંતર થયા. રાજા વ ંશેખરને તે જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેણે પેાતાના રાજ્ય ઉપર પુત્રને બેસારી પેાતે યશે:ધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને તે ત્રૈવેયકમાં દેવતા થયેા. આ પ્રમાણે ભેગેાપભાગ વ્રતને પાળ નારા પુરૂષ! આ સંસારમાં સુખી થાય છે અને નહિ પાલનારા પુરૂષો દુઃખી થાય છે. शत सप्तमं व्रतम् જેથી મનુષ્યને અથ પ્રયેાજન વિના કર્માંરૂપી રાજા ધરૂપી દ્રવ્ય હરીને દંડ આપે છે, તેથી તે અનર્થદડ કહેવાય છે. જલના રસની જેમ જે ભક્ષણ ન કરવાથી પીડા કરનારૂં છે, તે જે વડે જાણીને વવા યેાગ્ય થાય તે અનર્થદડ નામે ત્રીજી ગુણવ્રત છે. જે પુરૂષ તે અનંદ ડના ત્યાગ કરે છે, તેએ આ પૃથ્વીમાં વીસેનની જેમ સત્ર માન્ય અને પ્રશ ંસનીય થાય છે, અને જેએ કિલષ્ટ બુદ્ધિવાળા થઇ ખેાટા વિચારા વિગેરેથી તે અનંદ...ડ આચરે છે તેઓ પદ્મસેનની જેમ મેટુ દુઃખ પામે છે. વીરસેન અને પદ્મસેનની કથા. મલય નામના નગરમાં વિમળ નામે રાજા હતા. ત્યાં વીરસેન નામે એક શેઠ રહેતા હતા. તેને વીરમતી નામે સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિશ્રી પદ્મસેન નામે એક પુત્ર થયા. તે પદ્મસેન ફૂટબુદ્ધિવાળા હતા અને મંત્ર યંત્રના પ્રયાગે કરવામાં સદા આદર રાખતા હતા. એક વખતે પુણ્યને આપનારી તેની વાહનશાળામાં શ્રુતસમુદ્રના પારગામી શ્રુતસાગર નામના સૂરિ આવીને રહ્યા. તે સમયે વીરસેન પેાતાના પુત્ર પદ્મસેનની સાથે ત્યાં આવી ગુરૂને નમસ્કાર કરી તેએની આગળ ચેાગ્ય સ્થાને બેઠા. તેવામાં કોઇ વ્યંતર સુરિની પાસે પ્રત્યક્ષ થઈ આબ્યા. સૂરિજીએ તેને ઉદ્દેશીને હિતકારી ઉપદેશ આપતાં કહ્યું કે, “ દેવ ! તું નિરક પાપ શામાટે ઉપાર્જન કરે છે ? વિબુધજના સાક જીવાને ઘાત કરતા નથી. કાંઇપણ સ્વાની સિદ્ધિ શિવાય તું જે જીવધાત કરે છે, તે સારૂં' નથી. ” તે સાંભળી વીરસેનશેઠે કહ્યું કે, “ સૂરિમહારાજ ! આપ કેને ઉપદેશ આપેા છે ? ' ગુરૂ ખેલ્યા- હું બ્ય'તરને ઉપદેશ આપું છું. ” તે વ્યંતર કયાં છે ? ” શેઠે પુછ્યું. “ તારા પુત્રની ડાબી તરફ છે.” ગુરૂએ ઉત્તર આપ્યા. ત્યારે વીરસેન બેલ્યા, ‘· અમે તેને કેમ જોઈ શકતા નથી ?” ગુરૂએ કહ્યું, તમારા જેવાને tr 66 (6 ૧ વિષ્ણુધ-દેવતા અને વિદ્વાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360