Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 321
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, ભંડારરૂપ એવી તે કન્યાએ ત્યાં જવાને એક સુરંગ કરાવી અને તે રસ્તે જ્યાં તે ચતુર રૌહિણેય હતું, તે ભૂમિગૃહમાં આવી. તેને દેખી રૌહિણેયે પુછયું, “તું કોણ છે અને અહિં શા માટે આવી છે?” તે કન્યા બેલી,-“હું ધનદત્તની કેતુકપ્રિયા પુત્રી છું, કળાવાનને પ્રિય અને બુધ એ તું રૌહિણને પુત્ર ભૂમિમાં વાસગૃહ કરી રહેલ છે તેને આદરથી જેવાને કણ ન આવે ? જે હૃદયમાં આ નગર જોવાની મારી ઇચ્છા હોય, તે મારી સાથે આવ્યા હું તને બધું નગર બતાવું.” પછી તે રોહિણે તેણીની સાથે જઈ રાત્રે બધું નગર અવલોકન કર્યું. કેઈ બીજા પ્રદેશમાં જતાં તેને કોઈ વિદ્યા સિદ્ધ યોગી મ. તેણે તેને વિધિપૂર્વક યોગ્ય વિનય કર્યો. તેથી તે ગી હૃદયમાં હર્ષ પામી ગયે. મન એ મેટા પુરૂષનું ધન છે. તે ગિીએ રોહિણેયને અદશ્ય થવાની વિદ્યા આપી. વિદ્યા મેળવવામાં મુખ્ય ઉપાય વિનય કહેવાય છે. તે વિદ્યાપાઠથી સિદ્ધ કરી, એટલે તેનાથી તે અવારિત ગતિ થા. મણિ, મંત્ર અને ઔષધ વિગેરેનો પ્રભાવ અચિંત્યજ છે. એક વખતે રોહિણેય તે ધનદત્તની પુત્રીને પરણ્યો અને તેણે તેને તે ભૂમિડના એક ભાગમાં સ્થિતિ રહિતપણે રાખી. પછી તેણે પેલા ઉપાધ્યાય પાસેથી નવીન અધ્યયન લેવું બંધ કર્યું. જ્યાં સુધી બીજું વ્યસન ન લાગે ત્યાં સુધીજ વિદ્યાનું વ્યસન રહે છે. એક વખતે તે રોહિણેય વિદ્યાના બલથી ચેરી કરવા માટે ચાલ્યો, જોષીનું વચન પ્રાણીઓને માટે અન્યથા થતું નથી. વિદ્યાના પ્રભાવથી કે જેને સાવ દેખી શકતા નથી એ તે સર્વના ઘર મુકીને રાજાના ઘરમાં ગયે, અને રાજાને ઓશીકેથી ખરત્ન ઢાળ, પુરી, અને દર્પણ લઈ તે પુનઃ પિતાને ઘેર ચા આવ્યું. તેના પિતા ખરેખર તેનું આવું ચરિત્ર શીવ્ર જાણતું ન હતું. કારણકે ગૂઢ હૃદયવાલા પુરૂષેનું ચરિત્ર જાણવામાં આવતું નથી. પ્રાતઃકાલે રાજાએ જાગ્રત થઈને સર્વ જોયું, ત્યાં તે ખવિગેરે ચાર વસ્તુઓ તેના જેવામાં આવી નહિં; પછી રાજાએ પહેરેગીરાને બેલાવી કેધ લાવી આ પ્રમાણે કહ્યું, “અરે ! તમે હંમેશાં મારૂં ઘણું દ્રવ્ય ખાઈ જાઓ છે અને મારા સર્વસ્વને ચેરનારા છતાં નિર્ભય રહેનારા લોકોને કેમ પકડતા નથી? શું તમારામાં કોઈ દમ નથી?” તેઓએ રાજાની આગળ આ પ્રમાણે કહ્યું, “રાજન ! અમે જાગતા રહીએ છીએ, તાપણ તમારા ચેહનું દર્શન થતું નથી, તે તે મેટા ચોરને અમે શું કરી શકીએ.?” તે વખતે મંત્રીએ કહ્યું કે સ્વામી, તે ચોર કે વિદ્યાસિદ્ધ પુરૂષ છે, તે તે પરાક્રમથી સાધ્ય થશે નહિં, પણ કોઈ ઉપાયથી સાધ્ય થશે, તેથી તે ચોરાએલી ચાર વસ્તુઓ તમારે હાથ આવશે.” રાજા છે. “મંત્રી, એ ઉપાય શું છે? તે કહે.” ૧ કલાવાન્ પક્ષે ચં. ૨ બુધ રોહિણને પુત્ર છે. ૩ જેને કઈ જતાં આવતાં રોકી ન શકે એવો. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360