Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 324
________________ સાતમા વ્રત ઉપર સ્વર્ણશેખર અને મહેન્દ્રની કથા. ૨૯૫ થાય, તે તેનામાં શૌર્ય કદાચિત પ્રગટ થઈ આવે. તિષીના ષીઓનું કુશળ થતું નથી, વિદ્યાના Àષીઓને જીવિત ટકતું નથી, નીતિના દ્વેષીઓને લમી રહેતી નથી અને ધમને શ્રેષીઓને તે કુશળ, આયુષ્ય અને લક્ષમીમાંથી એક પણ રહેતું નથી.” પિતાના મૃત્યુના ખબર સાંભળી રોહિણેય પરમ વૈરાગ્યને પામી ગયે. પછી પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી પોતે દીક્ષા ગ્રહણ કરી, તે વ્રત પાળી અને અનશન લઈ મૃત્યુ પામી સુખ સંપત્તિમાં ચઢયાતા એવા અમ્રુત દેવલોકમાં ગયા. આ પ્રમાણે હિણેય દિગ્વિરતિ વ્રત પાળવાથી સુખી થયો, અને તેને પિતા નીતિઘટ તે વ્રત ભાંગવાથી શત્રુઓને હાથે માર્યો ગયો. મંત્રી નીતિઘટ દોષાકર અને રોહિણેયથી વર્જિત રહ્યો તેથી તેને દેહ તમથી ગ્રસ્ત થયે, એ અવશ્ય ઘટિતજ થયું. તે બંનેને આ લેક અને પરલોકમાં પરાભુતિ થઈ હતી, તે ઉપરથી આ છઠું વ્રત પાળવું જોઈએ કે જેનાથી કષ્ટ ન થાય. इति षत्रत. જે ભેગપગની વસ્તુઓમાં વજેવા ગ્ય હોય, તે વજી શકાય તેવી ન હોય, તે તેની અંદર અમુક સંખ્યાને નિયમ ધારવામાં આવે, તે બીજુ ગુણવત કહેવાય છે. તે બીજા ભેગપગ નામના ગુણવ્રતને જે ધર્મપરાયણ પુરૂ નિત્યે અંગીકાર કરી પાળે છે, તેઓ સ્વર્ણશેખરની જેમ દીર્ઘ આયુષ્ય અને પરલોકમાં સગતિને પ્રાપ્ત થાય છે અને જે પુરૂ તે વ્રત લઈ તેની વિરાધના કરે છે, તેઓ મહેદ્રની જેમ અલ્પ આયુષ્ય અને પરલોકમાં દુગતિને પ્રાપ્ત થાય છે. સ્વર્ણશેખર અને મહેદ્રની કથા. ચંદન નામના નગરમાં શંખના જેવા ઉજવળ યશવાળે શખ નામે એક રાજા પૂર્વે થયો હતો. તે નગરમાં યશોધવળ નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તે શેઠને મહેંદ્ર અને વર્ણશેખર નામે બે પુત્રો હતા. તે બંને યાવન વયને પ્રાપ્ત થતાં એક વખતે છીએ તેમને પુછયું કે, “તમો બંને તમારા કુટુંબનો નિર્વાહ શી રીતે કરશે?” તે સાંભળી તેઓમાં મોટા પવિત્ર પુત્રે પિતાને કહ્યું કે, “હું ઉત્તમ દેશાંતરે જઇ વેપાર કરી મારા કુટુંબનો સ્વકુળની યોગ્યતા પ્રમાણે નિર્વાહ કરીશ.” બીજા પુત્રે કહ્યું કે, “હું બે રાજપુત્રીઓને પરણુ રાજા શંખને શહેરમાંથી બાહર કાઢી મુકી રાજા થઈને મારા કુટુંબને અને બીજાને નિર્વાહ કરીશ. પિતાજી, તમારે તેની શી ચિંતા છે?” ૧ નીતિપટ-નીતિના ઘડે હોય તે ( અજ્ઞાન-મિથ્યાત્વ વેગે ) દે.બાકર દોષના ખાણરૂપ થાય અથવા ચંદ્ર અને રોહિણેય બુધથી વર્જિત હોય, તે તે તમ-રાહુથી ગ્રસ્ત થાય છે. પક્ષે તમ-અજ્ઞાન. ૨ એકને પરાભૂતિ-મોટી સમૃદ્ધિ અને બીજાને પરાભૂતિ-પરભવ થયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360