Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 129
________________ ૧૧૨ ઉદયસ્વામિત્વ % કારણસંલોક છે. કે આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને જ હોય* છે. હવે જે જીવ ઉત્કૃષ્ટથી પણ કંઈક ન્યૂન દસ પૂર્વ ભણેલો હોય, તે જ પરિહારવિશુદ્ધિ સંયમને સ્વીકારે છે, એવું સિદ્ધાંતમાં કહ્યું છે, એટલે પરિહારવિશુદ્ધિવાળા ચૌદ પૂર્વધર ન હોવાથી તેઓને આહારકદ્ધિકનો ઉદય ન હોય.. પરિહારવિશુદ્ધિવાળા જીવો અત્યંત વિશુદ્ધ સંયમને આરાધવામાં તત્પર હોવાથી, તેઓ વૈક્રિય વગેરે લબ્ધિનો પ્રયોગ કરતા નથી, એટલે જ પરિહારવિશુદ્ધિમાર્ગણામાં વૈક્રિય વગેરે યોગો નથી હોતા, એવું ષડશીતિમાં કહ્યું છે.. * પહેલાં સંઘયણવાળા જીવો જ પરિહારવિશુદ્ધિ સંયમને સ્વીકારવામાં સમર્થ છે.. એટલે પહેલાં સંઘયણ સિવાયના બાકીના પાંચ સંઘયણનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. 7 સ્ત્રીઓ પૂર્વધર હોતી નથી અને પરિહારવિશુદ્ધિસંયમને જઘન્યથી પણ સાધિક નવ પૂર્વધર જ સ્વીકારી શકે છે, એટલે અહીં સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. એટલે પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તપ્રાયોગ્ય ૮૧માંથી ૮ પ્રકૃતિઓ નીકાળીને ઓથે + પ્રમત્તે ૭૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. પ્રશ્ન : ૭૩ પ્રકૃતિઓમાં તમે થીણદ્વિત્રિકનો પણ ઉદય કહ્યો છે, પણ સંયમ લીધા પછી થીણદ્વિત્રિકના ઉદયવાળા જીવોનું રજોહરણ પણ પાછું લઈ લેવાય છે, તો અત્યંત વિશુદ્ધ સંયમવાળા પરિહારવિશુદ્ધિચારિત્રીઓને થીણદ્વિત્રિકનો ઉદય કેવી રીતે થાય ? ઉત્તર : પ્રબળતાથી ભલે થીણદ્વિત્રિકનો ઉદય ન હોય, પણ મંદતાથી તો પરિહારવિશુદ્ધિવાળાને પણ તેનો ઉદય થઈ શકે છે. આ પ્રમાણે બીજું પણ કારણ, આગમને બાધ ન આવે એ રીતે વિચારવું.. (૭) ૭૩માંથી અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિકને છોડીને ૭૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (વીણદ્વિત્રિકનો ઉદય છઠ્ઠા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો..). * “માદાર વરસપુષ્યિો " તિ વવનાત્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184