Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 152
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૩૫ - 7 ઉપશમ સમ્યક્ત સાથે કોઈપણ જીવ દેવગતિ સિવાય બાકીની ત્રણ ગતિમાં જતો નથી. એટલે અહીં દેવાનુપૂર્વી સિવાય બાકીની ત્રણ આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો.. (ઉપશમસમ્યક્તી દેવગતિમાં પણ અનુત્તર દેવલોકમાં જ ઉત્પન્ન થાય, એટલે અનુત્તરવાસી દેવોને લઈને જ અહીં દેવાનુપૂર્વીનો ઉદય સમજવો..) (૧) કેટલાંક આચાર્ય ભગવંતો અપર્યાપ્તાવસ્થામાં કોઈને પણ ઉપશમસમ્યક્ત માનતા નથી. તેઓનું કહેવું છે કે, ભવક્ષયે ઉપશમશ્રેણિથી પડનાર જીવને પહેલાં જ સમયથી ક્ષાયોપથમિક સમ્યક્ત આવી જાય છે. એટલે તે જીવને લઈને પણ અપર્યાપ્તાવસ્થામાં દેવોને ઉપશમસમ્યક્ત ન મનાય.. (૨) કેટલાંક આચાર્ય ભગવંતો અપર્યાપ્તાવસ્થામાં પણ ઉપશમસમ્યક્ત હોવાનું માને છે. તેઓના મતે, ભવક્ષયે ઉપશમશ્રેણિથી પડનાર જીવ ઉપશમસમ્યક્ત સાથે લઈને દેવલોકમાં જાય છે. એટલે આ મત પ્રમાણે ઉપશમસમ્યક્ત માર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ઘટી શકે છે. (આ મત સપ્તતિકાચૂર્ણિકાર, પંચસંગ્રહકાર, ષડશીતિકાર વગેરેનો છે.) ઉપશમસમ્યક્તમાં અત્યંત વિશુદ્ધિ હોવાથી અને અલ્પકાળ હોવાથી થીણદ્વિત્રિકનો ઉદય સંભવે નહીં... કમ્મપયડી-ઉપશમનાકરણવૃત્તિમાં પણ ઉપશમસમ્યક્તની પ્રાપ્તિ વખતે નિદ્રાદિક-અન્યતરનો જ ઉદય કહ્યો છે. માટે અહીં થીણદ્વિત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે... તેથી ર૫ પ્રકૃતિઓ છોડીને ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઓધે અને અવિરતગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૫) ૯૭માંથી દેશવિરતગુણઠાણે વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકાયુષ્ય - * "उवसंतो कालगओ सव्वढे जाइ" इति वचनात् । • अभिहितञ्च शतकबहच्चूर्णी- "जो उवसमसम्मद्दिट्ठी उवसमसेदीए कालं करेइ सो पढमसमए चेव सम्मत्तपुंजं उदयावलियाए छोढूण सम्मत्तपुग्गले वेएइ, तेण न उवसमसम्मद्दिट्ठी મન્નત્તનો તબ્બરૂ' રૂતિ ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતવૃત્તિમાં, ઉપરોક્ત બંને મતોનું સુવિશદ નિરૂપણ કર્યું છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ખાસ ભલામણ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184