Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
નવતત્વોનું નિરૂપણ સૂ. ૧ જાણકાર, પુણ્ય પાપનાં કર્તા અને તેમના ફળના સાક્ષાત્ ભક્તા અને સ્વભાવતઃ અમૂર્ત અર્થાત્ રૂ૫ રસ ગંધ અને સ્પર્શથી રહિત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦માં અધ્યયન ગાથા ૩૭માં કહ્યું છે- આત્મા, પિતે જ પોતાના સુખદુઃખને કર્તા હર્તા છે. જીવનાં ભેદ-પ્રભેદનું વર્ણન આગળ કરવામાં આવશે.
જેમાં ચેતના ન હોય જે જડ હોય તે અજીવ તત્વ છે. તેના ચાર ભેદ છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય.
ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે. ધર્મ અધર્મ આકાશ આ પ્રમાણે જીવ અને અજીવ આ બે તને જાણવા પરમ આવશ્યક હોવાના કારણે બીજે પણ કહ્યું છે. જે ઉપાદેયગ્રાહ્યને ગ્રહણ કરવા ઈચ્છે છે અને હેયને ત્યાગ કરવા ઈચ્છે છે. તેના માટે બે મૂળભૂત તત્વ છે જીવ અને અજીવ.
રાગ દ્વેષ વગેરે અને તેમાંથી ઉત્પન્ન થતાં અજ્ઞાન વગેરે હોય છે જ્યારે ઉપગ રૂપ પરમ તિ તે ઉપાદેય છે. અગ્નિ અને લેઢાના ગેળાની જેમ અથવા ક્ષીર અને નીરની જેમ કાર્મgવગણુઓના આત્મપ્રદેશની સાથે એકમેક થઈ જવું તે “બ” કહેવાય છે. આગળ કહેવામાં આવનાર આશ્રવના કારણોથી ગૃહીત કર્મ પુદ્ગલેના પ્રકૃતિ, સ્થિતિ વિગેરે વિશેષણોથી વિશિષ્ટ સંયોગ થવો તે બન્યું છે.
શુભકર્મ પુણ્ય કહેવાય છે. અન્ન પુણ્ય વગેરેના ભેદ થી તેના નવ પ્રકાર છે આ ભેદે આગળ ઉપર કહેવાશે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–પુનાતિ એટલે જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે.
અશુભ કર્મ પાપ છે. પ્રાણાતિપાત વગેરે ૧૮ તે પ્રકારોથી છે તેનું સ્પષ્ટીકરણ આગળ કર વામાં આવશે. જે આત્માને દુર્ગતિમાં પતનનું કારણ હોય તે પાપ છે. આ પાપની વ્યુત્પત્તિમાં થી કરેલે અર્થ છે.
જેના દ્વારા કર્મો આવે છે તે આશ્રવ છે એટલે કે શુભાશુભ કર્મોના ઉપાર્જનને હેતુ આશ્રવ કહેવાય છે જેનાથી જીવનું સંસારમાં પરિભ્રમણ થાય છે.
આશ્રવનું રોકાઈ જવું તે સંવર છે. આશય એ છે કે આત્મામાં પ્રવેશતા કર્મ જેનાથી રોકાઈ જાય છે તે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ વગેરે પરિણામને સંવર કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર સંવર શબ્દને અર્થ છે-જે આવરૂપ પ્રવાહને રેકી દે એટલે કે અટકાવી દે તે સંવર છે કહ્યું પણ છે–આશ્રવ ભવભ્રમણનું કારણ છે અને સંવર મોક્ષનું કારણ છે. આમાં સંપૂર્ણ તત્વની સમાપ્તી થઈ જાય છે શેષ કથન તે આને જ વિસ્તાર છે. અથવા પ્રાણાતિપાત આદિ આશ્ર મનપ્તિ વગેરે દ્વારા અટકી જાય તે સંવર છે. પૂર્વોપાર્જિત કર્મનું તપ અને સંયમ વગેરે કારણોથી જીર્ણ થઈ જવું–ક્ષય થઈ જવો તે નિજર છે અથવા ઉપરાજિત કર્મોને વિપાક અથવા તપ વગેરે દ્વારા નષ્ટ થઈ જવું તે નિર્જરા છે. સારાંશ એ છે કે તપસ્યા, ધ્યાન વગેરે કારણથી પ્રથમ બાંધેલા કર્મોનું આંશિક રૂપથી અલગ થઈ જવું તે નિજર છે.
પૂર્ણ રૂપથી સર્વ કર્મોને ક્ષય થઈ જ તે મેક્ષ કહેવાય છે – બધ, શમ, વીર્ય, દર્શન અને આત્યંતિક તથા એકાંતિક અનાબાધ અને સર્વોત્તમ સુખ સ્વરૂપ આત્માનું પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જવું તે મેક્ષ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧