Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 3
________________ - જWwwx3works : અમર - - - : - - * : : : - = T 'મા ' . * . अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया। नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। [ અંક ૩ જે પુસ્તક - જુલાઈ : ૧૯૪૨ ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• સુવાસ” નું જીવનના પાંચ વર્ષ પૂર્વે જ્યારે અમે “સુવાસ નું મંગલાચરણ કર્યું ત્યારે અમને ગુજરાતી પ્રજાની, પ્રજાને જીવન, સંસ્કાર ને સાહિત્યની, પવિત્ર આર્ય સંસ્કૃતિની સેવા કરવાના અગણિત અને અકર્થ કેડ હતા. એ કોડ કેટલેક અંશે પુરાયા છે. સવાચાર વર્ષના “સુવાસ” ના નિર્મળ જીવન-પ્રવાહ પર દષ્ટિપાત કરતાં, સંસ્કારી પ્રજાના હૃદયમાં એણે મેળવેલા સ્થાનને વિચાર કરતાં, વાતાવરણમાં એણે ફેલાવરાવેલી સુવાસનું અવલેકન કરતાં, પત્રકારિત્વ અને સાહિત્યના ક્ષેત્રમાં એણે મેળવેલી સિદ્ધિને ધ્યાનમાં લેતાં અમે સંતેષ અનુભવીએ છીએ. પણ એ કેડની પુરવણીમાં અમે પ્રજા પાસેથી જે આશા રાખેલી તે ઘણું ઓછી ફળીભૂત બની છે. ગુજરાતી સાહિત્ય અને સામયિકોની આર્થિક દશાથી અમે પરિચિત હતા. એટલે સવાસ' શરૂઆતથી જ આર્થિક દષ્ટિએ સ્વતંત્ર બની શકશે કે ભવિષ્યમાં તેમાંથી લાભ મળશે એવી અમે કોઈ આશા ન સેવેલી. પરંતુ અમે એટલી આશા જરૂર રાખેલી કે પાંચેક હજારને ભેગ આપીને ચારેક વર્ષ લગી “સુવાસ ચલાવી શકીએ તે પછી તે ધીમે ધીમે પણ આર્થિક દષ્ટિએ સ્વતંત્ર બની રહેશે, પ્રજા એને હૃદયથી વધારે છે તે પ્રમાણે તેને પોતાનાં ટેબલ પર પણ વધાવી લેશે અને “સુવાસ” ગુજરાતનું ચિરંજીવ પત્ર બની સંસ્કારક્ષેત્રનું મઘમઘતું કુસુમ બની રહેશે. પણ હવે અમને જણાય છે કે ગુજરાતનું શાય જેમ વાણીમાં જ સમાયું છે, તેમ તે કિમત પણ વાણીથી જ આંકે છે. અમને સેંકડો એવા વિદ્વાન અને વિદ્યાભિલાષી સજજને મળ્યા છે કે જેમણે “સુવાસ” ને ગુજરાતના પ્રથમ પંક્તિના માસિક તરીકે ઓળખાવ્યું છે; ઘણાયે તેને સાહિત્ય', કેમુદી, અને “વસંતનું સ્થાન જાળવનાર તરીકે વર્ણવ્યું છે, કેટલાકે તેને ગુજરાતના અમર પત્ર તરીકે બિરદાવ્યું છે. “સુવાસ'ના લેખો સંખ્યાબંધ પ્રતિષ્ઠિત પત્રોમાં આભાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34