________________
જાપાનીઓનું આર્થિક જીવન-ધારણઃ ૮૫ એ આસ્માન જમીનને તફાવત નથી. જો પાનની સારામાં સારી રેસ્ટોરાંમાં ખાણાના જે પૈસા ભરવાના આવે છે તેટલાજ–લગભગ સરખાજ-ખેરાક ઉપરાંત અન્ય સગવડતાઓ બાદ કરતાંબીજી સાદી વીશીઓમાં આવે છે. ખાવાનું બધી જ જગ્યાએ, શ્રીમંતમાં શ્રીમંત કુટુમ્બથી લઈને ગરીબ સુધી લગભગ એક સરખું અને એક જ પ્રકારનું હોય છે. વિશ્વવિદ્યાલયના વિધાથીઓના અને કારખાનામાં કામ કરતા મજૂરેના ખોરાકમાં તત્વની દષ્ટિએ બિલકુલ તફાવત નથી હોતે.
(૪) જાપાની ખોરાકની પિષણ-શક્તિ ઘણી સારી છે. પોષણ-શકિતનું માપ કાઢવાનું સાધન યુદ્ધ હોય તે, સને-જાપાનીઝ, રૂ–જાપાનીઝ, ટયુટો-જાપાનીઝ અને આજનું યુદ્ધ, તેની પિષણ-શકિતને પ્રત્યક્ષ પુરાવે છે. યુદ્ધને પિષણ-શકિતના માપ તરીકે ન લઈએ અને માત્ર પ્રજાની ઉત્પાદન-શકિતને જ તેના માપ તરીકે ગણીએ તે પણ જાપાનની ઉત્પાદન-શકિત અગાધ છે. જાપાનને માલ દુનિયાના ખૂણેખૂણુ સુધી પહોંચે છે. જાપાનીઓનાં કટુ ઘણું મેટાં અને વિસ્તૃત હોય છે. પ્રજા સાહસિક અને ખડતલ છે. પુરુષ અને સ્ત્રીઓ ખૂબ જ તંદુરસ્ત હોય છે. પ્રત્યેક જાપાનીઝ માતાની પીઠે પિત નું બાળક હોય જ છે. અને એ દૃશ્ય અનુપમ ગિારવવાળું ગણુય છે.
(૫) જાપાનમાં ખેરાક પુષ્કળ મળે છે, પણ તેને તલભાર પણ તે લેકે બગાડ કરતા નથી. હિંદની માફક જાપાનની ગલીઓમાં ભિખારીઓ કયાંય પણ જણાતા નથી. જાપાનનાં દેવલમાં દેવને ધરવામાં આવતા પ્રસાદ, હિંદમાં જેમ થેડા પંડયાઓ અને મહંતે જ તેની મોજ માણે છે તેમ નહિ, પણ નજીકની ઇસ્પીતાલમાં મોકલી આપવામાં આવે છે.
આ પાંચે મુદ્દાઓ પરથી ફલિત થાય છે કે જાપાનનું આર્થિક જીવન-ધારણ નીચા પ્રકારનું નથી. ઊંચા અને નીચા, બધાનું એક સરખું જ જીવન-ધારણું છે. અને આ ખાસ મહત્ત્વનું છે, કારણ કે સમગ્ર પ્રજાનું જીવનતત્વ, મુખ્યત્વે કરીને તેમના આર્થિક જીવન-ધારણની સમાનતા ઉપર જ આધાર રાખે છે.
કાર્ય કુશળતા, સંપૂર્ણતા અને નિપુણતા જાપાનીઓના જીવનને મુદ્રાલેખ છે. તેઓ જે કંઈ કરે છે તે કુશળતાથી અને સંપૂર્ણપણે જ. પ્રત્યેક બાબતમાં નિપુણતા પ્રાપ્ત કરવી તે તેમનું જીવન ધ્યેય છે. *
કંકાળ રમણુ
પ્રભુલાલ દેવશંકર શુકલ : શિખરિણી : હતી શ્રદ્ધા તારા કઠિન જડ પાષાણ હૃદયે, પ્રભુતાની ધીરી પ્રણવપગલીઓ પ્રગટશે; પરંતુ આયુનું સ્તવન બનતાં વ્યર્થભ્રમણા, નિહાળી નેત્રેયે અનવરત કંકાળ રમણ !
- એસ. એસ. નેહરૂના “Money, Men and Women in Japan " નામના પુસ્તક ઉપરથી સૂચિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com