Book Title: Sukhi Thavana Saral Upayo Author(s): Kirtisagar Publisher: Bidada Shwetambar Murtipujak Sangh View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખી થવાના સરલ ઉપાયે અથવા સુખ મેળવવાનાં - સાદા ઉપાયે પુસ્તક વિશે કિંચિત્ વક્તવ્ય ! આ પુસ્તક રત્ન વિષે શું લખવું ? કારણ કે–જેની અંદર મહાપુરૂષ, સકલ શાસ્ત્રવેત્તાઓની જ કૃતિઓ છે. એવા મૃતધરે પાસે હું શા લેખામાં ! એઓનાં જ્ઞાન માટે કાંઈ પણ લખવું તે સુવર્ણને પિત્તળને ઓપ આપવા જેવું થાય. પણ ચાલુ પદધતિ પ્રમાણે કાંઈક લખવું જોઈએ, તે વિશેષ તે કાંઈ પણ લખી શકું એમ નથી જ. તદપિ અલ્પ બુદ્ધિ પ્રમાણે લખવાની ધીઠાઈ કરૂં છું. અનંત કાળથી આત્મા સંસારમાં અનેક જાતિના દુઃખ ભોગવી રહ્યો છે, તે ક્યા માટે ? શું એને દુઃખ પ્રિય છે ? ના, તો પછી દુઃખેનો માર્ગ સ્યા માટે ગ્રહણ કરે છે ? એમ પ્રશ્ન થઈ શકે ! આત્માને સુખ જોઈએ છે, છતાં તે માર્ગ ક્યા માટે ગ્રહણ કરતું નથી ? આનું મુખ્ય કારણ અજ્ઞાનતા જ છે. તો જાણુપણ માટે પ્રયત્ન થ્યા માટે નથી કરતે ? આમાં મુખ્ય કારણ કર્મોની સત્તા નીચે દબાએલા છે તે જ કારણ છે. તે હવે કમે કેટલા પ્રકારના છે ? અને તેની પ્રકૃતિ, તેઓની રચના શી શી રહેલ છે? એ કર્મ સત્તામાંથી જીવ છૂટો કેમ થાય ? જે પિતાનામાં શક્તિ ના હોય તે બીજાની મદદ લઈને તેમાંથી મૂક્ત કેમ થવું? તેવા માર્ગ પણ અનંત જ્ઞાનીઓ બતાવી ગયા છે, તે શાસ્ત્રોમાં વિદિત છે, પણ ગહન શાસ્ત્રો પિતાની મેળે સામાન્ય સમજણવાલા સમજી ન શકે. અને દરેક For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 175