Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 397
________________ અનુષ્ઠાનના ફળનો ઉપઘાત કરે છે અર્થાત પ્રતિબંધ કરે છે. આ અન્યમુદ્દોષ શાસ્ત્રોક્ત ચૈત્યવંદનાદિ કે સ્વાધ્યાયાદિમાં પણ સંભવે છે. શ્રુત પ્રત્યેના અનુરાગને લઈને ચૈત્યવંદન કરવાના સમયમાં પણ ચૈત્યવન્દનનો અનાદર કરનારને અન્યમુદ્, દોષનું જ કારણ બને છે. શ્રુતમાં ચિત્ત આસક્ત હોવાથી ચૈત્યવન્દનમાં ઉપયોગ ન હોવાથી અન્યમુદ્ દોષ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રવિહિત બંન્ને અનુષ્ઠાનમાં; એકમાં આદર કરવો અને બીજામાં અનાદર કરવો-આવી કોઈ વિશેષતા નથી. ૧૪૯૭ *** હવે રુગુ(રોગ) નામના દોષનું નિરૂપણ કરાય છે रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ||૧૪-૧૦ની “રુગ્(રોગ) નામનો ચિત્તદોષ હોતે છતે અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થવાથી જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરી ઈષ્ટની સિદ્ધિ થતી નથી. તેથી તે અનુષ્ઠાન ન કરવા સ્વરૂપ છે, માટે તે વન્ધ્યફળવાળું જ છે.” - આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે રોગ નામનો ચિત્તનો દોષ જ્યારે હોય ત્યારે કરાતા અનુષ્ઠાનની જાતિનો ઉચ્છેદ થાય છે અર્થાત્ અનુષ્ઠાનનું અનુષ્ઠાનત્વ જ રહેતું નથી. તેથી તે અનુષ્ઠાન કરવાથી ખરી રીતે ઈષ્ટ ફળની સિદ્ધિ થતી નથી. ચોક્કસપણે ફળનું કારણ નહિ બનનાર એ અનુષ્ઠાન અનનુષ્ઠાન સ્વરૂપ એટલે કે ન કરવા સ્વરૂપ જ છે. તેથી તે વન્ધ્યફળવાળું-નિષ્ફળ જ છે. કારણ કે આવા " ૩૯૪

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450