Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 419
________________ અભિનંદાતું-પ્રાર્થનીય કેવલજ્ઞાન છે. અતીત, વર્તમાન અને અનાગત કાળમાં વર્તમાન પદાર્થોને યથાર્થસ્વરૂપે જણાવવાના સ્વભાવવાળું તે છે. “અતીત' શબ્દના અર્થમાં તીત શબ્દ વ Fછે. સિદ્ધિવિનિશ્ચય વગેરે ગ્રંથમાં એવો પ્રયોગ ઉપલબ્ધ છે અથવા તીતલિરિએ ના સ્થાને રૂપિરિઓનું આવો પાઠ સમજી લેવો. અચિન્ય, અનનું વીર્ય હોવાથી કેવલજ્ઞાન સમર્થ છે અને અવિનાશી હોવાથી તે શાશ્વત છે – આ પ્રમાણે આગમના જાણકારો કહે છે. “કેવલજ્ઞાનને અતીતાદિ પરિચ્છેદક તરીકે અહીં વર્ણવ્યું છે. પરંતુ તેમાં અતીત અને અનાગતકાલવૃત્તિ પદાર્થવિષયકત્વ સદ્ગત નથી. કારણ કે અતીત અને અનાગતનો વિચાર . કરીએ તો તે વસ્તુ જ નથી-એમ ચોક્કસ જણાય છે. અતીત વિનષ્ટ હોવાથી અને અનાગત અનુત્પન હોવાથી સર્વથા અસત્ છે. જે સર્વથા અસત્ છે, તેનું જ્ઞાન કઈ રીતે સંભવે? તેથી કેવલજ્ઞાન “કાલત્રયવર્તિપદાર્થવિષયક છે.” એ કથન અયુક્ત છે.” આવી શક્કાના સમાધાનમાં અહીં જણાવાય છે. વર્તમાનકાલ માત્રના જ પર્યાયથી પ્રતિબદ્ધ સ્વભાવવાળી વસ્તુ નથી. કારણ કે એવી વસ્તુ તો ક્ષણમાત્રવૃત્તિ હોય છે. જ્યારે વસ્તુના અસ્તિત્વમાં એવો ક્ષણમાત્રવૃત્તિત્વ સ્વભાવનો અનુભવ થતો નથી. ખરી રીતે વસ્તુ તો સઘળાય અતીત અનાગત અનાદિ-અનંતપર્યાયોના સમુદાયમાં સારી રીતે અનુગત એવા એક આકાર સ્વરૂપ છે. વર્તમાનપર્યાધ્યની જેમ સ્વલક્ષણ[સ્વરૂપ બનનારા અતીત અને અનાગત પર્યાયોની પ્રમાણ દ્વારા ઉપલબ્ધિ થતી હોવાથી વસ્તુ સત્ છે. અન્યથા

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450