SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનંદાતું-પ્રાર્થનીય કેવલજ્ઞાન છે. અતીત, વર્તમાન અને અનાગત કાળમાં વર્તમાન પદાર્થોને યથાર્થસ્વરૂપે જણાવવાના સ્વભાવવાળું તે છે. “અતીત' શબ્દના અર્થમાં તીત શબ્દ વ Fછે. સિદ્ધિવિનિશ્ચય વગેરે ગ્રંથમાં એવો પ્રયોગ ઉપલબ્ધ છે અથવા તીતલિરિએ ના સ્થાને રૂપિરિઓનું આવો પાઠ સમજી લેવો. અચિન્ય, અનનું વીર્ય હોવાથી કેવલજ્ઞાન સમર્થ છે અને અવિનાશી હોવાથી તે શાશ્વત છે – આ પ્રમાણે આગમના જાણકારો કહે છે. “કેવલજ્ઞાનને અતીતાદિ પરિચ્છેદક તરીકે અહીં વર્ણવ્યું છે. પરંતુ તેમાં અતીત અને અનાગતકાલવૃત્તિ પદાર્થવિષયકત્વ સદ્ગત નથી. કારણ કે અતીત અને અનાગતનો વિચાર . કરીએ તો તે વસ્તુ જ નથી-એમ ચોક્કસ જણાય છે. અતીત વિનષ્ટ હોવાથી અને અનાગત અનુત્પન હોવાથી સર્વથા અસત્ છે. જે સર્વથા અસત્ છે, તેનું જ્ઞાન કઈ રીતે સંભવે? તેથી કેવલજ્ઞાન “કાલત્રયવર્તિપદાર્થવિષયક છે.” એ કથન અયુક્ત છે.” આવી શક્કાના સમાધાનમાં અહીં જણાવાય છે. વર્તમાનકાલ માત્રના જ પર્યાયથી પ્રતિબદ્ધ સ્વભાવવાળી વસ્તુ નથી. કારણ કે એવી વસ્તુ તો ક્ષણમાત્રવૃત્તિ હોય છે. જ્યારે વસ્તુના અસ્તિત્વમાં એવો ક્ષણમાત્રવૃત્તિત્વ સ્વભાવનો અનુભવ થતો નથી. ખરી રીતે વસ્તુ તો સઘળાય અતીત અનાગત અનાદિ-અનંતપર્યાયોના સમુદાયમાં સારી રીતે અનુગત એવા એક આકાર સ્વરૂપ છે. વર્તમાનપર્યાધ્યની જેમ સ્વલક્ષણ[સ્વરૂપ બનનારા અતીત અને અનાગત પર્યાયોની પ્રમાણ દ્વારા ઉપલબ્ધિ થતી હોવાથી વસ્તુ સત્ છે. અન્યથા
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy