SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણીમાં ચઢેલા સામર્થ્યયોગી અહીં ધનુર્ધારી છે. ક્ષપકશ્રેણી ધનુષ્ય છે. પરતત્ત્વના દર્શન સ્વરૂપ લક્ષ્યને સિદ્ધ કરવાના આશયથી યોજેલ અનાલંબનયોગ સ્વરૂપ વ્યાપાર બાણ છે અને તે છૂટવા સ્વરૂપ ધ્યાનાન્તરિકા [શુક્લધ્યાનના બીજા પાયાનું ધ્યાન] છે. તે વખતે ચોક્કસ લક્ષ્યાભિમુખ તે બાણના[અનાલંબનયોગના પડવાથી જ ઘાતિકર્મના ક્ષય બાદ કેવલજ્ઞાનસ્વરૂપ સાલંબન[સર્વવિષયક પ્રકાશ થાય છે તે અહીં લક્ષ્યવેધ છે.. ઈત્યાદિ સ્થિરતાપૂર્વક જાણકારો પાસેથી સમજી લેવું. ૫૧૫-૧૦ *** કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવું છે-આ પ્રશ્નના સમાધાન માટે જણાવાય છે -- आत्मस्थं त्रैलोक्यप्रकाशकं निष्क्रियं परानन्दम् । तीतादिपरिच्छेदकमलं ध्रुवं चेति समयज्ञाः ॥१५-११॥ કેવલજ્ઞાન આત્મામાં રહે છે; ત્રણ લોકને પ્રકાશિત કરે છે; ક્રિયારહિત છે; પરમ આનંદયુક્ત છે; અતીતાદિ પદાર્થોને જાણવાના સ્વભાવવાળું છે; સમર્થ છે અને શાશ્વત છે-આ પ્રમાણે આગમના જ્ઞાતાઓ કહે છે.’-આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કેવલજ્ઞાન એ આત્માનો મૂળભૂત ગુણ છે, તેથી આત્મસ્થ છે. આત્મસ્થ એવું કેવલજ્ઞાન ત્રણ લોકમાં વ્યવસ્થિત એવા જીવ અને અજીવ સ્વરૂપ સર્વ જ્ઞેય પદાર્થોનું પ્રકાશક છે. ગમનાદિ ક્રિયાઓથી રહિત છે, સર્વોત્કૃષ્ટ આનંદથી યુક્ત છે. પાનનમ્ ના સ્થાને પાનન્ધમ્ પાઠ માનીએ તો તે મુજબ બીજાઓ દ્વારા ૪૧૫
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy